SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ચર પકડવાની યુક્તિ. 11 - હવે અભયકુમાર તે ચોરને પકડવાને માટે માણસના વેષ ભાષણ અને ચેષ્ટિતને નિહાળતા નિહાળતા, કૌતુકવાનું વિદેશીય યુવાનની પિઠે, માર્ગને વિષે ત્રિક-ચતુષ્ક-ચત્ર પ્રમુખ સ્થળેએ ભમવા લાગ્યો. એ રાજપુત્ર બહુબહ ઉપાચવડે આમ્રફળના ચેરની ગવેષણ કરવા લાગે; તે પણ વૈદ્યને રેગીજનની નાડીને ધબકારે જણાતું નથી તેમ એ એને કયાંઈ જણાયે નહીં. એવામાં એકવાર કેઈ સ્થળે નાગરિક જન સંગીતક કરાવતા હતા ત્યાં સુદ્ધાં રાજપુત્ર ચેરને મેળવવાની આશાએ ગયે; અથવા તો પિતાનાં કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છાવાળા જ ચિત્તને વિષે કદાપિ ઉદ્વેગ રાખતા નથી. ત્યાં કુમારને આસન આપીને એક જણ બોલ્ય-“હે સ્વામી, કૃપા કરીને ક્ષણવાર આ આસન પર બિરાજો.” કારણકે સ્વામીજન પ્રતિ કયે માણસ સત્કાર નથી કરતા ? નાગરિકને એ વિવેક જોઈ મંત્રીશ્વરે આસન ગ્રહણ કર્યું; અને કહ્યું કે જ્યાં સુધી નાટ્યકારે નથી આવ્યા ત્યાં સુધી હું એક કથા કહું છું તે સાંભળે કારણકે રસિકજનેને ક્ષણમાત્ર વિનોદ વિના બેસી રહેવું ગમતું નથી. " એ સાંભળી અંજલિ જોડીને પિરજને બોલ્યા-હે બૃહસ્પતિની જેવી બુદ્ધિવાળા કુમાર, આપની મહેટી મહેરબાની. આપની વાણી તે, જેણે સુકૃત્ય કર્યો હશે તેનેજ શ્રવણે પડશે; કારણકે નિભોગીજનના ગ્રહને વિષે કદિ રત્નવૃષ્ટિ હોય નહિં. પછી એણે કથા પ્રારંભ કર્યો કે| વસંતપુર નામનું એક નગર છે. તેને વિષે સેંકડે ઉપવનવાવ-તળાવ-સરવર-જળાશય-પ્રાસાદ-ગૃહ-બજાર આદિ આવી રહ્યાં છે. ત્યાંના લકે કૃતજ્ઞ–દયાળુ-પરોપકારી-વિનયી-વિચક્ષણ- ઉદારગંભીર-વૈર્યવાન-દક્ષ-દાક્ષિણ્યવાન અને સરલ આશયવાળા છે. ત્યાં એક જીર્ણશેઠ નામનો વ્યવહારિક રહેતો હત; એ પિતાનાં એવાં કર્મને લીધે સમસ્ત વૈભવ એઈ બેઠે હતે; જે દિવસે એને ભેજન મળતું તે દિવસ એને હર્ષની વધામણીને હતો. એને એક એકનીએક પુત્રી હતી. એનાં લોચનની ચંચળ ફીકીઓ લીલા સહિત ફર્યા કરતી હેવાથી યુવકજનના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy