________________ પૂર્વે ગ્રીસ- રેમ આદિ પાશ્ચમાત્ય દેશના ઇતિહાસકારોએ પિતાના સમકાલીન કે પૂર્વકાલીન મહાપુરૂષોનાં વૃત્તાન્ત લખી એમનાં નામ અમર કરવાને એગ્ય પ્રયાસ કર્યો છે, તેમ વર્તમાન સમયના ચરિત્ર નિરૂપકે પણ પિતાની ઈષ્ટ વ્યકિતને અમર કરવાની અન્તઃકરણની લાગણી, અને મુખ્યત્વે કરીને એ વ્યક્તિના કીતિકથનદ્વારા સમુદાયની ઉન્નતિને પરિપૂર્ણ વિશ્વાસ-એ ઉભય વિચારથી નામાંકિત પુરૂષને જગ પ્રસિદ્ધ કરે છે. - જ્યારે આમ છે ત્યારે જે મહાપુરૂષે એક વખતે (1) પિતાની વકતૃત્વશક્તિથી, (2) અત્યન્ત ગહન સિદ્ધાન્તોને વિકસિત કરનારા પિતાના સામર્થ્યથી, (3) મનોજ્ઞ, દુપ્રેક્ષ્ય (dazzling) અને સવશે યુતિમત પ્રમાણોને ગ્રહણ કરી લેનારા પિતાના વિચારબળથી અને (4) વિશાળ આશયે તથા અખ્ખલિત પુરૂષાર્થથી, અત્યન્ત વ્યગ્રતાએ આકુળ છતાં પણ નિષ્કલંક અને બહદેશી દક્ષતાએ પૂર્ણ—કાર્યભાર વહન કરનાર રાજ્યનીતિજ્ઞ અમાત્ય તરીકે, કવચિત નમીને તે કવચિત્ નમાવીને દીર્ઘ દષ્ટિ પહોંચાડી દરેક કાર્ય કર્યું છે; વળી સ્વતંત્ર સત્તા વિના પણ પ્રધાનપદનું નિર્વહણ કરી, શાસન અને સાધુતાના સંમલનથી પિતાના પૂર્ણ મહત્વની છાપ પાડી ઉત્તમ પ્રકારની નિપુણતા સિદ્ધ કરી આપી છે; તથા રાજકુળમાં બનતા અનેક વિધવાના પ્રસંગે શમાવવારૂપ આયાસમય ફરજ બજાવતાં, પ્રપંચ કરવામાં પ્રવીણ અને કાવતરાં * કરવામાં કુશળ કહેવાતા પિોલીસ ખાતાની અંગભૂત મારફાડ ક્યો વિના પણ વિજયપરંપરાઓ મેળવી અત્યન્ત અભિનન્દનીય ચાતુર્ય દશોધ્યું છે; એટલું જ નહીં પણ, ઉત્તમ પ્રકારની કાર્યશકિત, અંગીકૃત કાર્યમાં અખંડિત ઉત્સાહ અને દેશકાળને અનુસરતા વર્તનવડે, પિતાની કીર્તાિને અક્ષય અને અજરપદ પ્રાપ્ત કરાવ્યું છે;–એવા એક શાશ્વપ્રસિદ્ધ નરરત્નનું જીવનચરિત્ર જનસમાજની એહિક તેમજ આમુર્મિક ઉન્નતિનું ઉત્તમ સાધન રૂપ થશે--એવી ધારણાથી આ અભયકુમાર 1 “અભયકુમાર મંત્રીની બુદ્ધિ હો " એ આપણા દર નવા વર્ષના દફતરમાં માંગલિક અર્થો લખાતા અનેક ઉત્કસૂચક વાકયોમાંનું એક છે. એપરથી પણ સમજાય છે કે અભયકુમારની બુદ્ધિ તીર અને સમયોચિત હેનેજ દષ્ટતાસ્પદ થઈ પડી ન જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust