SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. છે અને પાપરૂપી વ્યાધિનું ઉત્તમ ઔષધરૂપ છે. જો તમે સ્વામિભક્ત છે તે હું એને પુત્ર છું એટલે એક સારસને માગે બીજા સારસે ચાલે છે તેમ તમે પણ મારે માર્ગે ચાલે. પિતાના સ્વામીના પુત્રને આવે ઉપદેશ સાંભળીને તેઓ બેલ્યા-અમારા ગ્રહવાસને વિષે આપ અમારા સ્વામી હતા તે હવે તમારે બેધ પામેલા અમારા જેવાના આપ ગુરૂ પણ થાઓ. માટે હે સ્વામી, હવે અમને દીક્ષા આપીને આ સંસારમાંથી તારે; કારણકે કુવામાં પડતો એ કેણ માણસ હસ્તને ટેકે નથી ઈચ્છત? પછી મુનિવરે એ સર્વ સામતને દીક્ષા આપી, કારણકે મહટા પુરૂષે સર્વદા હજારના ઉદર ભરવાવાળા હોય છે. પછી આગળ આદ્રકમુનિ અને પાછળ તત્કાળદીક્ષિત પાંચસે યે સાધુઓ-એમ વિહાર કરતા એઓ જાણે યુથપતિહસ્તી અને એનાં બચ્ચાઓ ચાલ્યાં જતાં હોયની એમ અત્યંત શોભવા લાગ્યા. એવામાં માર્ગને વિષે એ મુનિસિંહને, દુખે જોઈ શકાય એ, દુર્મુખ અને કલહપ્રિય ક્ષુદ્રવાદ્ય જે શાળ સામો મળે. પિતાને વિશેષ જ્ઞાની માનત એ ગોશાળ વગર બેલાબે વાચાળ થતું આવ્યું અને આદ્રકમુનિની સાથે વિવાદ કરવા લાગ્યું. એટલે ત્યાં તે ભૂચરપ્રાણીઓ, અને ખેચર- . વિદ્યાધરાદિ એકઠા થઈ ગયા અને નેત્ર પ્રસારીને જોવા લાગ્યા કારણકે પારકું વગર પૈસાનું કેતુક કેણુ નથી જોતું ? ગોશાળે આદ્રકમુનિને કહ્યું–તમે આ કેશલેચાદિ ક્રિયા કરે છે તે સર્વ ઉષરભૂમિને વિષે બીજ વાવવાની જેમ વ્યર્થ છે; કારણકે શુભાશુભ ફલ આપનારી એવી એકલી નિયતિજ, સર્વ ધાજોને જેમ વૃષ્ટિ તેમ, સર્વ ભાવની હેતુરૂપ છે. અથવા તે અવે સર્વે અશ્વસમાન છે, હસ્તીઓ હસ્તી જેવા છે, મનુષ્ય સવે મનુષ્ય જેવા છે, અને સ્ત્રીઓ પણ સેવે સ્ત્રી તુલ્ય છે; વળી ટાઢ શિયાળામાં પડે છે, તડકે ઉન્ડાળામાં પડે છે, અને વષાદ ચેમાસામાં આવે છે એ સર્વ બનાવોમાં નિયતિ જ કારણરૂપ છે. હે મુનિ, જે એ ઠેકાણે નિયતિ કારણરૂપ ન હોય તે આ નિયતાકારકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy