SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ શાળા સાથે વાદવિવાદ 227 બહુ અલ્પ છે તે કેમ હોય ? સ્વર્ગાદિ પણ જે પ્રાપ્ત થવાનાં હશે તો તે અહિં ( આ પૃથ્વી પર ) પણ પ્રાપ્ત થશે. માટે તમે તુષખંડનની પઠે વૃથા તપશ્ચયોનું દુઃખ સહન કરે છે. ગશાળાએ આ પ્રમાણે આક્ષેપ સહિત અને મહેટે સ્વરે મુનિને કહ્યું તે સાંભળીને એ મુનિરાજથી પણ બોલ્યા વિના રહેવાયું નહિ, કારણકે મૃગરાજસિંહ શું કોઈની પણ હાક સહન કરે ખરે? એ સાધુ બેલ્યા-અરે ! તારે કપિલવાદ માત્ર પામરજનેની પર્ષદાને વિષે જ સારે છે; (કારણકે) શિયાળીઆની કીકીયારી શિયાળીઆઓના ટોળાને વિષે જ પે છે. આ નિયતિની સાથે જ કર્મ, સ્વભાવ, કાળ અને ઉદ્યમ હોય તે જ કાર્યસિદ્ધિ થાય છે. જે નિયતિજ સર્વ ભાવવસ્તુઓનું કારણું હોય તે કેડારને વિષે રહેલાં બીજ પણ કાર્ય કેમ ન સાધ (કેમ ન ઉગે) " નિયતાકાર કાળ છે એમ તે પ્રતિપાદન કર્યું એટલે તે સ્વયમેવ કાળને પણ પ્રમાણરૂપ માન્ય કહેવાય. પણ નિયતિ પ્રમુખ વિના એક કાળ પણ હેતુરૂપ નથી; કારણકે એમ હોય તે કઈ વખત વષોકાળને વિષે પણ વૃષ્ટિ થતી નથી એ કેમ બને ? પ્રતિમા બનાવવાને ગ્ય અથવા અગ્ય એવા પાષાણુ અથવા કાષ્ટના નિશ્ચિત દૃષ્ટાન્તોથી “સ્વભાવ ની હેતતા પણ સિદ્ધજ છે; એટલે કે બીજાઓની સાથે “સ્વભાવ' પણ એક હેતુ છે, એમ સિદ્ધ થાય છે. વળી એ “સ્વભાવ' એકલે હેતુભૂત છે એમ પણ ન માનવું; કારણકે જે એમ હેય તે પુરૂષના પ્રયત્ન વિના પણ કાષ્ટની પ્રતિમા બનત. વ્યયવહારનું સમપણું છે તે પણ કેઈ સ્થળે લાભ થાય છે અને અન્ય સ્થળે નથી થતે માટે “કમ' પણ નિશ્ચયે ઉપર કહેલા હેતુઓની સાથે એક હેતુ છે એમ સમજવું. વળી નિકાચિત એવું જે કમ તે પણ કઈ વખત ઉપર કહ્યા એ પુરૂષકારઆદિથી પરાજય પામે છે માટે કર્મ પણ એકલું જ કારણભૂત નથી. ઉદ્યમથી ભૂમિ પેદવાથી જળનો પ્રવાહ નીકળે છે માટે . એ ઉદ્યમને પણ તારે એક હેતુ માનવો પડશે. વળી નિયતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy