SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ નાના પાત્ર લટાના ભાડાની આગામી વર્ષથી 114 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. અને ગીત શરૂ થયા; વિદ્યાવંત કળાવિ પુરૂષો વાત્રિ વગાડવા લાગ્યા; કેયલના સમાન મધુરકંઠવાળી નારીઓ ધવળમંગળ ગાવા લાગી અને દ્વારે દ્વારે તોરણ બંધાયા. વળી નાગરિકજનો અક્ષતના પાત્ર લઈને આવવા લાગ્યા તેમને સામા ગેળ ઘી આપવામાં આવ્યા; દ્રવ્યના ભંડાર છુટા મુકવામાં આવ્યા અને અથી જનેને દાન દેવામાં આવ્યું. રાજાની આજ્ઞાથી તેલ અને માપ મોટાં કરવામાં આવ્યાં; અને દાસદાસીઓ હર્ષથી ઉછળવા લાગ્યા. ત્યાં નાના પ્રકારની કુશળતા ધરાવનારા પુરૂષે, નિશાળીઆઓને લઈને મહેતાજીઓ, અને મૂળાક્ષરના જનેતા પંડિતે તરફથી આવવા લાગ્યા. વળી સ્થાને સ્થાને અને ચેટે ચાટે દેશાન્તરની લક્ષ્મીના પ્રવેશને અર્થે જ હોયની એમ તળિઆતરણ ફરકવા લાગ્યાં. વળી હાટની શ્રેણી પણ ( ત્યાં ઉડતા લટકતા) કસુંબાના વસ્ત્ર [ દવાઓ ] ના મિષથી જાણે આંગળીઓ ઊંચી કરી કરીને “એક અભયકુમાર જ સર્વ મંત્રિઓને વિષે શિરોમણિ છે કે જેણે પિતાની માતાને નહિં પુરી શકાય એ મનોરથ પૂર્ણ કર્યો " એમ અને અન્ય સંવાદ કરતી જણાતી હતી. આ પ્રમાણે તે આખો દિવસ જાણે કલ્યાણમયસ્વર્ગસુખમય અને આનંદઆનંદમય થઈ રહ્યો. પછી ત્રીજે દિવસે નવા જન્મેલા પુત્રને સૂર્ય અને ચંદ્રમાના દર્શન કરાવ્યાં, તે જાણે એટલા માટે કે તે કાન્તિ અને તેજમાં એમના સમાન થાય. વળી છઠું દિવસે તેના સ્વજનેએ ધર્મજાગરણ કર્યું, તે જાગરણું [ જાગ્રત રહેવાને સ્વભાવ ] ગ્રહણ કરવાને ઈછાતુર એવા એ કુમારની સમક્ષ એ ( જાગરણ ) ની પ્રશંસા કરતા હોયની એમ. દશમે દિવસે સૂતકની શુદ્ધિ કરવામાં આવી, અથવાતો તીર્થકરોના જન્મ સમયે પણ એમ કરવાને કલ્પ ( આચાર) હોવાથી તે કરવી ઘટે છે, તો શેષજનને એમ કરવું જોઈએ એમાં તે શું કહેવું ? પછી બારમે દિવસે સંબંધીજનેને ભેજન જમાડીને રાજાએ પિતે, મદ્રિકાને વિષે મણિની સ્થાપના કરે તેમ, પુત્રનેવિષેun નામનીeat @ાપના કરી P.P. Ac. Gunratnasuri M.S.
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy