SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પદ્રુમ છતાં દારિદ્રય ? 255 ભગવાને કહ્યું–એણે “મરે” એમ કહ્યું તે એવા અભિપ્રાયથી કે આ ભવને વિષે રહેતાં તે કષ્ટ જ છે અને મૃત્યુ પછી મને મોક્ષ મળવાને છે તો મેક્ષ પ્રાપ્ત થાય માટે મરો” એમ કહ્યું છે. વળી હે રાજનૂ, તને આ જન્મમાંજ સુખ છે; મૃત્યુ પછી તો નરક મળવાનું છે, માટે જ તને એણે “જીવો” એમ કહ્યું છે; અને અભયકુમારને બેઉવાના કહ્યાં એ એવા અભિપ્રાયથી કે એ આ જન્મમાં ધર્મકાર્યો કરે છે અને મૃત્યુ પછી અન્યજન્મમાં પણ એ દેવગતિમાં જવાનું છે. માટે એ છે કે મને એ બેઉ સરખું છે. કાળશારિકને એણે બેઉ વાનને નિષેધ બતાવે એ એવા અભિપ્રાયથી કે આ જન્મમાં એ પાપકર્યો કરે છે અને મૃત્યુ પછી એ સાતમી નરકે જવાનું છે. શ્રી વીરપરમાત્માએ દરેક દેવનાં આચરિત વિષે ખુલાસો કરતાં શ્રેણિક રાજાની નરકગતિ થવાની કહી એ સાંભળીને એને કંપારી છુટીઃ અથવા તો નરકની વાત સાંભળતાંજ ભય ઉત્પન્ન થાય છે, તો એ દુઃખ ભેગવવા પડવાનું સાંભળીને થાય એમાં શું આશ્ચર્ય ? શ્રેણિકરાજાએ પૂછવું–હે જગન્નાથ, આપ જેવા મારા સ્વામી છતાં મારે નરકગતિ કેમ ? કલ્પદ્રુમ છતાં દારિદ્રય હાય નહીં. પ્રભુએ ઉત્તર આપ્ય—હે મહીપતિ, તે નરકનું જ આયુષ્ય બાંધ્યું છે; માટે તારે ત્યાં જ જવું પડશે; એ વિષયે અન્યથા સમજવું જ નહિં. હે રાજન, નિકાચિત કર્મ જે છે તેને અન્યથા કરવાને દેવ, દાનવ, ચકવર્તી કે અમે પિતે પણ સમર્થ નથી. જેમ મુનિની પાસે મહાબાહ રાજા કે રંકને વિષે જરાએ અંતર નથી તેમ એ કમની પાસે પણ નથી. હે નરપતિ, તું ભવિષ્યમાં થનારા વીશ જિનેશ્વરમાં પ્રથમ પદ્મનાભ નામે જિનેશ્વર થવાને છું માટે વૃથા ખેદ કર રહેવા દે. પણ શ્રેણિકભૂપતિએ પુનઃ વિજ્ઞાપના કરી કે- હે ભગવંત જેમ દુઃસાધ્ય એવા પણ સનિપાતને વિષે ઉત્તમ વૈદ્ય બુદ્ધિથી વિચાર કરીને ઔષધ આપે છે તેમ નિર્મળ કેવળજ્ઞાનરૂપી લોચનવાળા આપ મને દુર્ગતિથી છુટાવનાર કોઈ Ganratnasu M.S. Jun Gun Aaradhak Trust
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy