________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર ભાગ 2 જે. કર્તા રા. મોતીચંદ ઓધવજી, ભાવનગર. - - sooooooo- Xxx જેન ઉપાધ્યાય શ્રીમદ્ ચંદ્રતિલકના એક સંસ્કૃત મહાકાવ્યનો આ ગુજરાતીમાં અનુવાદ છે. અનુવાદો તે હમેશાં આવી અસલ કૃતિઓનું સહસ્ત્રાંશ જ તેજ ઝીલી શકે. છતાં પણ જ્યારે અનુવાદની અંદર જ આટલે રસ જોઈએ છીએ ત્યારે અસલ કૃતિની રસભરતા કેવી હશે તેની કલ્પના આકરી પડે છે. આ અનુવાદમાંથી પણ જ્યારે આપણે કલ્પનાની વિભૂતિ, અલંકારની પ્રભુતા અને વર્ણનશક્તિનું માપ કાઢવા બેસીએ છીએ ત્યારે બોલી જવાય છે કે શ્રી ચંદ્રતિલક એટલે કવિ કાલિદાસ અને બાણભટ્ટએ બન્નેને ગુપ્ત વારસદાર. પ્રસંગે પ્રસંગે અલંકારો ઝરે છે છતાં તે એટલા Originalનૂતન છે કે કંટાળો આવવાને બદલે રસના હિલોળે ચડે છે. * * * ઠાવક વિનોદ પણ સ્થળે સ્થળે ઝરે છે. x x xએકંદરે અનુવાદ ઘણો સફળ થયે કહેવાય. સાહિત્યરસિકેને તેમજ શ્રી મહાવીરના સમયની સમાજસ્થિતિ, માનવપ્રકૃતિ જાણવાની રૂચિવાળાઓને આ ગ્રંથ ઉપકારી થઈ પડશે. (“સૈરાષ્ટ્ર” પત્રની સમાલોચના માંથી.) બીજા અભિપ્રાયો માટે જુઓ આ પુસ્તકના છેવટના પૃ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust