________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. છે, કારણ કે એને પણ ગંગા એજ જાણે 'તિલક. આમ છતાં પણ એને અષ્ટમીના ચંદ્રમાનું સાદ્રશ્ય અપાય નહિ, કારણ કે એ ચંદ્રમા તો એના હજારમાં ભાગની કળાને યે ધારણ કરનાર નથી.” આ ભરતખંડમાં મગધ નામને એક દેશ છે. એ નિશ્ચયે સ્વર્ગને જ એક વિભાગ હેયની એ છે કારણ કે એને પામીને પંડિતે અમર થયા છે. ત્યાંના સરવરે માનસરોવર જેવાં છે, નદીઓ સ્વર્ગગંગા તુલ્ય છે, ત્યારે દેવતાઓની વાવ સમાન છે, અને દ્રહ પદ્મદ્રહ સરખા છે. ત્યાં ધાન્યને (એક વાર ) લણી લીધા છતાં પણ, પાપી અને બળ પુરૂએ હરી લીધેલી ભા. ગ્યવંત પુરૂષની લક્ષમીની પેઠે, પુનઃ પુનઃ ઉત્પન્ન થાય છે. શંખની ઉત્પત્તિવાળી એની ભૂમિ લીલાં અને વિચિત્ર હરિત નામના સ્વાદિષ્ટ ઘાસને લીધે, મેરુપર્વતની સુવર્ણના તૃણવાળી ભૂમિકાજ હોયની એવી શોભી રહી છે. ત્યાં ધટપૂર દુધ આપનારી હજારે ઉદાર ગાયે જાણે વિધ્યાચળની હાથણીઓ હોયની એમ સ્વેચ્છાએ ફર્યા કરે છે, નારંગ, કદળી, આમ્ર, બીજપૂર, આદિથી પૂર્ણ એવા એના વનમાં ક્યો કરતો માણસ જાણે એક નગરમાં ફરતે હેય તેમ કદિ પણ શ્રમિત . . 1 લલાટને વિષે તિલક જોઈએ; તો ભરતક્ષેત્રરૂપી લલાટને વિષે (લલાટાકારે વહેતી) ગંગાનદી–એજ (જાણે) તિલક. 2 ભરતક્ષેત્રને લલાટ ઠરાવ્યું ત્યારે સર્વ લલાટને અષ્ટમીના ચંદ્રની ઉપમા અપાય છે તેમ એને પણ એ સાદશ્ય અપાવું જોઈએ; પણ કવિ કહે છે કે એને એ સાદસ્ય અપાય નહિં. 3 કવિની આ ઉઝેક્ષા કળા શબ્દના બે અર્થ ઉપર છે. કળા= (1) ચંદ્રમાની કળા digit (2) એક જાતનું માપ. ભરતખંડ, 19 કળાનો એક યોજના એવા પર૬ જન અને 6 કળાને છે. એટલે કે (પર૬૪૧૯)+=૧૦૦૦૦ કળાને છે અને અષ્ટમીના ચંદ્રમાની તે 8 જ કળા છે તે 10000 કળાનો 1000 મો ભાગ પણ ન થયો. આ ઘટપૂર=ઘટઘટ-ઘડેઘડ: 5 વનમાં એ બધાં નામનાં વૃક્ષે; નગરમાં ટા , પાથરમાજિ. . . ; ; '' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust