SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. છે તેમ એણે તેને શકુનની ગાંઠ બાંધી લીધી. પછી તે એક સાધ્વી જેમ પિતાના ચારિત્રનું યથાયોગ્ય રીતે પાલન કરે તેમ, પિતાના ગર્ભનું,નહિં અતિ સ્ત્રિગ્ધ કે નહિં અતિ કઠોર, અતિ ઉષ્ણ પણ નહિ તેમ અતિ શીત પણ નહિ, અતિ કટ પણ નહિં તેમ અતિ લવણ પણ નહિં, નહિં તીખા કે નહિં મેળા, નહિ અપકવ કે નહિં અતિ કષાયવાળા, નહિં અતિ આસ્લ કે નહિં અતિ મધુર, દેશ-કાળ-વયને અનુસરતા, ગર્ભને પષનારા, અનવદ્ય અને મિત આહારથી પિષણ કરવા લાગી. - આ સમયે કુશાગ્રપુરનગરને વિષે, અભવ્યની જેમ પ્રસેનજિત્ રાજને કશળ વૈદ્યોથી પણ અસાધ્ય એ કઈ વ્યાધિ થયે. વ્યાધિને અસાધ્ય જાણીને, રાજાએ મૂર્તિમાન ક્ષાત્રધર્મ જેવા પ્રેણિકને તેડી લાવવા ઉટવાળાઓને મોકલ્યા. એ માણસે મિન ધારણ કરી રહેલી, મનના જેવા વેગવાળી, પીતવર્ણ, દુબળમુખવાળી, લઘુકણ, કેટનેવિષે લટકતી માળાવાળી, ચરણનેવિષે શદકરતા નૂ પુરવાળી, ઘૂઘરમાળથી શોભતી સાંઢણુઓ પર આરૂઢ થઈને વેણુતટનગરે આવી પહોચ્યા. અસ્થિર કાન, બલિષ્ટ સ્કંધ, કુચા જેવી લાંબી રોટલી અને પદ્મપત્ર સમાન વિશાળ નેત્રોવાળા, એ-રાજાના સદા વિશ્વાસુ ગારવણસેવકને દૂરથીજ જોઈને શ્રેણિક અતિ આનદ પામ્યઃ પિતાના દેશના અવર માણસને પણ બહ કાળે જેવાથી હર્ષ થાય છે તે પિતાનાજ માણસેને જોવાથી તો વિશેષજ થાય. એ આવીને કુમારને ચરણે પડ્યા અને કુમારે એમની પીઠ પર હસ્ત મૂક; કારણ કે ઉચિત કરવામાં સપુરૂષે કદાપિ ભૂલ કરતા નથી. પછી મારા વિશ્વપાલક પૂજ્યપાદ પિતાશ્રી પિતે ખુશીમાં છે? મારા પુત્રનેહથી પૂર્ણ માતાજી સારાં છે? મારી અપર માતાઓ પણ સારી પેઠે છે કે? મારા વડીલ ભાઈઓ અને હાના બંધુઓ પણ આનંદમાં છે કે ? મારાં બીજા મમતાળું સંબંધીઓ પણ કુશળ છે કે? રાજ્યકાર્ય કરનારા એવા પ્રધાને 1 સામગ્રીને સદ્ભાવ છતાં પણ મોક્ષ જેને ન મળી શકે એવા (પ્રાણી). P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakrusts
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy