________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર લાણી મોકલવામાં આવી; કારણકે મુખ મીઠાં ન કરાવે તે એનું નામ પણ કેણ જાણે? હવે પાંચ ધાવમાતાઓથી પાલન કરાતા કુમાર, પાંચ સમિતિએ કરીને શુદ્ધ એવા સાધુના ચારિત્રની પેઠે રાત્રિદિવસ વૃદ્ધિ પામવા લાગે. લાલનપાલનમાં ઉછરતે એ એ અભયકુમાર બાળક, જેમ ઉત્તમ રત્ન ચતુર ઝવેરીઓના હાથમાં ફરે તેમ એકબીજા બાજોના હાથમાં ફરવા લાગ્યું. લેકે એ સ્વરૂપવાન કુમારના અંગ ચુંબન કરવા લાગ્યા તે જાણે એના શરીરના કુંદપુષ્પસમાન ઉજવળ ગુણોને ગ્રહણ કરવાની ઈચ્છાને લીધેજ હાયની. શરીર અને કાન્તિએ સિત પક્ષના ચંદ્રમાની સમાન વૃદ્ધિ પામતે એ કુમાર પાંચ વર્ષને દિવસે એને એની માતાના પિતાએ નિશાળે બેસાડ. તે વખતે સ્વજનોએ, અભ્યાસ કરવાના મનવાળા એ અભયને, એની પાસે વ્રત કરાવતા હેયની એમ, વેતવસ્ત્ર પહેરાવ્યાં. વળી એના છત્રાકાર મસ્તકની ઉપર શેભાને અર્થે કુસુમને મુકુટ પહેરાવવામાં આવ્યું કારણ કે પુપને હમેશાં ઉચ્ચ જ સ્થાન મળે છે. એના કંઠપ્રદેશને વિષે પણ કુસુમની માળા નાખવામાં આવી, તે જાણે એના હૃદયમાં રહેલી ઉત્પત્તિકી પ્રમુખ બુદ્ધિઓની પૂજાને અર્થેજ હાયની ! વળી સકળ વિશ્વના ભૂષણરૂપ એવા એ કુમારને આભૂષણ પણ પહેરાવવામાં આવ્યા; કારણ કે સુવણની મુદ્રિકા હોય તેમાં પણ મણિ બેસારે છે. પછી એને એક ઉત્તમ અશ્વપર બેસારવામાં આવ્યે પણ એમાં કાંઈ પણ આશ્ચર્ય નહોતું કારણ કે થોડા સમયમાં તે એ હસ્તીપર પણ બેસવાને છે. વળી એના મસ્તકપર રમ્ય ને શેભાયમાન છત્ર પણ ધરવામાં આવ્યું તે જાણે પાદવડે સ્પર્શ કરતા સૂર્યથી એને દૂષણ ન લાગે એટલા માટેજ હોયની ? 1 વ્રતવાળા માણસે શ્વેત વસ્ત્રો ધારણ કરે છે એ રિવાજ છે; કારણકે વેત શિવાયના બીજ વર્ણ ઇન્દ્રિયને સતેજ કરવાવાળા છે, (જે વતિને ન જોઈએ). * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust