SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ 150 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનગ્નરિત્ર, લીધે યામિની (રાત્રી) ત્રણ યામ ( પ્રહર ) ની થવા લાગી. (તે ત્યારથી આજસુધી પણ એજ પ્રમાણે ત્રિયામાં કહેવાય છે. ) એ સમયે સરિતાએ પણ કૃશ થવા લાગી તે યે જાણે પિતાના ઉત્પાદક ગિરિવરના મસ્તક [ શિખર ] ને વિષે ધૂળ પડતી દેખીને જ હાયની શું? સૂર્યના ઉત્તાપને લીધે વળી તલાવડીએને. વિષે પણ જળ ઘટી જવા લાગ્યા; અથવા તે જે કાળને વિષે જેને બહ ખપ પડે તેનીજ અછત થાય છે. “અરે, પ્રચંડતાપને ઝરનાર ઉષ્ણકાળ, મારી સ્ત્રીઓને તું આમ શુક કરી નાંખે છે તે શું તું દૃષ્ટિએ કંઈ નથી દેખતો ? માટે હારે માટે એક સારૂં સ્થાન શોધી કાઢ " એમ નદીપતિ [ સમુદ્ર] પણ જાણે પિતાના મહેટા કલરૂપી ગર્જનાના મિષથી (એ ઉણ કાળને) કહીને તેને ડુબાવી દેવાને જ હોયની એમ ઉંચા ઉંચા ઉછાળા મારવા લાગ્યા. આ ઉષ્ણ કાળે વળી લીલીછમ લતાઓને તથા ઘાસને પણ સૂકવી નાખ્યું અથવા તે દુર્બળ પ્રતિ સે કે પિતાની શક્તિ બતાવે છે. પણ આ બલિષ્ટ છતાં યે એ (કાળ) વૃક્ષની છાયાને ટાળવાને સમર્થ થયે નહિ, કારણકે મૂળને વિષે છે જીવન જેનું એવાને યમ પણ કશું કરી શકતો નથી. વળી જવાસાને પણ તેણે લીલો ને લીલ જ રાખ્યા કારણકે કૃતધ્ર હેય એવાને પણ કઈ કઈ તે વલ્લભ હોય છે જ. આ વખતે વળી તાપથી પીડાતા મહિષે અને શુકરે, ગુડાને વિષે જેમ ઘુવડપક્ષીઓ તેમ જળના ખાબોચીઆમાં પડી રહીને આખો દિવસ ગાળવા લાગ્યા. ધાને પણ જાણે પ્રાણીઓના જીવિત આદિનું અસ્થય બતાવતા હેયની એમ હાંફતા હાંફતા વારંવાર જીવ્હાને હલાવવા લાગ્યા. આમ્રફળ પ્રમુખ તથા લીંબડા પ્રમુખના ફળ પણ સિ સાથે પાક ઉપર આવવા લાગ્યા; કારણકે ઉત્તમ તેમજ જઘન્ય સર્વને સમય સરખે હેય છે. વળી શિરીષ-પાટલ-કદબ-મલ્લિકા-કેતકી પ્રમુખ વૃક્ષોને પુષ્પ આવવા લાગ્યાં; કારણકે પિતાને દિનમાન ઉદય પામ્ય કોણ નથી ફળતું ? ધનવાન લેકે પણ એ વખતે કપરમિશ્રિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gunaradi
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy