________________ 232 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. ત્યાં દેવતાઓએ સમવસરણ રચ્યું તેને વિષે રહીને દેવમનુષ્યની પર્ષદાને આ પ્રમાણે ધમને ઉપદેશ આપવા માંડ-ચુલા” નું વગેરે દશ દષ્ટાન્તાએ કરીને દુર્લભ એવો મનુષ્યભવ પ્રાપ્ત કરીને વિદ્વજનેએ ધર્મને વિષે ઉદ્યમ કરે. શ્રેષ્ઠ ઔષધીવડે વ્યાધિ નાશ પામે છે તેમ, ધર્મથી વિપત્તિ નાશ પામે છે, અને ચિંતામણિથી જ જેમ, તેમ, સર્વ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. કદિ ધર્મ કરતાં છતાંયે ગ્રીષ્મઋતુમાં સરેવરનાં નીરની જેમ, લાભાન્તરાય (કર્મ) ને લીધે, વિભવ ક્ષીણ થાય, તે પણ એ (ધર્મ) ના જ મહાન પ્રભાવવડે, પ્રાણીને પુનઃ અહિ ને અહિં જ જિનદત્તની પેઠે ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થાય છે. એ જિનદત્તનું વૃત્તાન્ત આ પ્રમાણે છે વિચિત્ર પ્રકારના ચિત્રોએ કરીને યુક્ત, ન્યાયતંતજનથી વસાયેલું વસંતપુર નામનું એક સુંદર નગર હતું. ત્યાં ચુનાથી ધોળેલા હજારે મહેલ હતા; તે જાણે નગરની શેભા નિરખવાને શેષ નાગના મસ્તકે બહાર આવ્યાં હોયની ! આ નગરમાં શત્રુએરૂપી કુમુદના સમુહને સંકેચાવવામાં સૂર્યસમાન જિતશત્રુ નામને નામ પ્રમાણેગુણવાળો રાજા રાજ્ય કરતો હતો. તેના વસ્તૃત્વગુણને લીધે બૃહસ્પતિએ (શરમાઈ જઈને) સ્વર્ગને, અને એના ઉદાર સ્વભાવને લીધે બળિરાજાએ પાતાળને આશ્રય લીધે હેયની ! ત્યાં સાધુઓની ઉપાસના કરનારાઓમાં અગ્રેસર અને ધાર્મિક પુરૂષોમાં મુખ્ય એ જિનદત્ત નામને એક શ્રેષ્ઠી રહેતું હતું. એ પિતાના નામની જેમ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજર, બંધ અને મેક્ષ એ નવે તવેનું જ્ઞાન ધરાવતે હતે. વળી એ મેક્ષ સંપત્તિનું સબળ કારણ જે દાનએ હર્ષસહિત આપતો હતો, શીલવ્રત પાળતો હતો, યથાશક્તિ તપશ્ચયો કરતો હતો અને ભાવના પણ ભાવતો હતો. આ પ્રમાણે ધર્મના રહસ્યને જાણનારાઓમાં શ્રેષ્ઠ એ એ શ્રેષ્ઠી પિતાના મનુષ્યભવને સફળ કરતો હતે. એ ધનવાન હતું અને વળી દાનનિપુણ પણ હતું તેથી પિતાને ઘેર, ઘરબહાર, લેકમાં, રાજદ્વારે અને અન્ય સર્વ સ્થળે એનું બહુ માન હતું. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust