________________ 236 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. ત્રણ વખત નિસિહિ કહી રોમાંચિત થઈ શેઠે દેવમંદિરની અંદર પ્રવેશ કર્યો. ત્યાં સર્વને પહેરવાનાં હતાં એવા વસ્ત્રમાંથી વસ્ત્ર પહેરી, મુખકેશ કરી, મંદિરના ગર્ભગેહ ( ગભારા ) માં પિઠે. તે વખતે એના આખા શરીર પર રોમાંચ પ્રકટ થયા અને એને હર્ષના આંસુ આવ્યાં. જિનેશ્વરનું પૂજન કરતાં કરતાં એણે વિજ્ઞાપન કરી કે- હે ભગવાન, એક એવા દિવસો હતા કે જેને વિષે હું સુવર્ણના પુષ્પોથી અને આભૂષણોથી આપની પૂજા કરતો વળી ઉત્સવ હોય ત્યારે મોટા ઠાઠમાઠથી, વિધિ પ્રમાણે, રથયાત્રાસંગીતક [ ગીત-વાદ-નૃત્ય ] વગેરે સહિત હું આપની ભકિત કરતે. અને એક આ દિવસ પણ આવ્યું છે કે જ્યારે હું દુઃખી છું અને પારકાં પુષ્પ લઈને આપની પૂજા કરૂં છું. નિશ્ચયે કે ધર્મકાર્ય કરતા ધમોમા પુરૂષને મેં અન્તરાય કર્યો હશે તે આજે આવીને ઉભે રહ્યા છે. આમ ભાવના ભાવમાં શેઠનું મન અત્યંત આદ્ર થયું. એણે જીનપ્રભુની પૂજા કરી બહાર આવી ચૈત્યવંદન કર્યું. પછી વસ્ત્ર બદલી, ધર્મશેષ આચાર્ય વ્યાખ્યાન કરતા હતા ત્યાં ગયે; જઈને સૂરિશ્રીને વંદન કરીને સભાને છેડે બેઠે. સૂરિશ્રીએ એમને મહાન સંભ્રમસહિત ધર્મલાભ દીધે. “વ્યાખ્યાન કરતા હોય છે ત્યારે સૂરિજી કઈ ધનવાનનો પણ આ ગૈરવ કરતા નથી માટે શું રાજા તો નથી આવ્યા " એમ વિચારી તાજાએ પાછું વાળી જોયું તે હાથમાં લાકડી છે, મલિન અને ફાટેલા વસ્ત્રો પહેર્યો છે, કરચલીવાળી ચામડી લટકે છે, હાડપીંજર દેખાય છે, મસ્તકે વેતવાળના ગુંચળા છે એવા જિનદત્ત શેઠને ભાળ્યા. એઓ વિચારવા લાગ્યા, અહો ! આ વૃદ્ધ રંકપ્રાય જિનદત્ત સૂરિજીએ કેઈ કારણને લઈને મહા સત્કાર કર્યો છે. એટલામાં તે ગુણજનનું બહુમાન કરતા એવા સુરિશ્રીએ શેઠને, આગળ આવે, આગળ આવે એમ કહ્યું. પણ શેઠ બોલ્યા-હે પ્રભુ અહીં જ ઠીક છે. એમ કહે છે ત્યાં તો શ્રાવકેએ એમને લઈને સૂરિશ્રીની પાસે જ બેસાડયા. એ વખતે સૂરિશ્રીએ કહ્યું-અહે શ્રાવકે, એક ચિત્તે સાંભળ-આ જિનદત્ત છે છે. અમે ચૈત્યવાન કામ થયું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust