SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. એક બિંદને પણ સર્વ વ્યાધિઓને નાશ કરવાની ઈચ્છા હોય છે. આમ વિચારી રાજાએ શ્રેણિકને, અદ્ભુત પરાક્રમ કરી આવેલા સુભટને બિરૂદ આપે તેમ, ભંભાસાર એવું નામ આપ્યું. પછી એકદા રાજાને “જેના ઘરમાંથી અગ્નિ પ્રકટી નીકળશે તેને નગર બહાર કાઢી મુકવામાં આવશે " એવી પિતાની કરાવેલી ઉદુષણા યાદ આવી. કારણ કે સત્પરૂષને સ્મૃતિ સમીપ રહેલી હોય છે. એને વિચાર થયે કે જો હું મારા બેલ્યાને અમે મારા ઉપર નહિ કરું તે પછી " પારકાને જ શિખામણ દેવાય” એમ કહેવાશે; કારણ કે જે વૈદ્ય પિતાનાની ચિકિત્સા નથી કરી શકતે, તે પારકાની તે કયાંથીજ કરી શકે? માટે આ નગરની બહાર આવાસ લઈને હું મારી પ્રતિજ્ઞાને સત્ય કરું, કારણ કે સજ્જનની પ્રતિજ્ઞા મિથ્યા હેય નહિં. રામચરિત્રને વિષે પણ સંભળાય છે કે રામ પિતાની પ્રતિજ્ઞાને સત્ય કરવાને રાજ્યને ત્યાગ કરીને વનમાં ગયા હતા. પણ અહા ! બહાર રહેવા જવાની પ્રતિજ્ઞાવાળા મારામાં અને એમનામાં મેરૂ અને સરસવ જેટલું અન્તર છે. આ પ્રમાણે બુદ્ધિથી વિચાર કરીને બૃહસ્પતિની. વિદ્વત્તાવાળે રાજાએ દિવિજયને વિષેજ હાયની એમ નગરની બહાર પડાવ નખાવ્યું. તે વખતે છાવણીમાં ફરતા લેકે માંહોમાંહે સંલાપ કરવા લાગ્યા-અરે તું ક્યાં જાય છે? [ઉત્તર મિત્ર, હું રાજગૃહે | રાજાને આવાસે | જાઉં છું, એ પરથી મહીપતિએ ત્યાં નગર વસાવી એનું નામ રાજગૃહ પાડ્યું. એની આસપાસ વળી એક કિલ્લે ચણા અને ખાઈ ખેદાવી. વળી સુંદર દેવમંદિરે, ઉત્તમ બજારે તથા બાળકને માટે પાઠશાળાઓ, રમ્ય હવેલીઓ, કુવા, તળાવ, વાવ અને બગીચા વગેરે પણ તેમાં કરાવ્યા. રાજા પિતે સુદ્ધાં ત્યાં રહેવા લાગ્યું તેથી અનુક્રમે એ નગર પણ કુશાગ્રપુરની જેવું થઈ પડયું; કારણ કે જ્યાં સૂર્ય ત્યાં દિવસ. 1. ઇલકાબ. 2. ભંભા એજ છે ગ્ય જેનું. . . 4. પડાવ નાખીને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy