SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫ર અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. જેના થકી આ ઉચ્ચ પદવીને પામ્યા છે એવા મને બહુ વિડંબના પમાડી છે ! અથવા તે લેકે પારકા અપ દેષને મહેટા રૂપમાં જુએ છે અને પોતાના પર્વત સમાન મહાન દોષ હોય છે તેને ભાળતા જ નથી. વળી તમે બ્રાહ્મણને કે વણિકને દંશ જાણતા નથી લાગતા તેથી જ તમે મારા ઉપર એટલી આફત ગુજારી હતી. તે હવે જાણુજે કે મારા જેવા કે તમારા જેવા ઉચ્ચ પદવાળાની આ સ્થિતિ કરી છે ! અથવા એક કાંકરી પણ ઘડો ફેડે છે. પુત્રોની સાથે આ પ્રમાણે પિતાને કલહ કરતો જોઈને લકે કહેવા લાગ્યા–આ તો મુગ્ધ-બાળક હતા એમણે તો ભૂલ કરી, પણ તે જાણતાં છતાં ( જાણું જોઈને ) કેમ ભૂલ કરી ? એક જણ કુપને વિષે પડે તેથી બીજાએ પ શું એમ કરવું ? શું તે નથી સાંભળ્યું કે પુત્ર કુપુત્ર થાય પણ પિતા પિતા ન થાય? આ પ્રમાણે સર્વ લેકે એકમુખે એ ડુબકની નિન્દા કરવા લાગ્યા અથવા તો લેકે તે ક્ષણમાં સ્તુતિ કરે છે અને ક્ષણમાં નિન્દા પણ કરે છે. પછી લેકેના તિરસ્કારને લીધે સેડૂબકે કશામ્બી નગરી ત્યજી દીધી; કારણ કે જનાપવાદના ભયથી રામે પણ સીતાને ત્યજી દીધી હતી. ( શ્રી વિરપ્રભુ શ્રેણિક રાજને કહે છે ) ( શ્રેણિક રાજા, શામ્બી નગરી પડતી મુકીને એ સેડૂબક વિપ્ર ચાલી નીકળે તે તારે નગર આવ્યા ને આજીવિકાને અથે તારા દ્વારપાળને આશ્રય લઈને રહ્યો; કારણ કે વિદેશને વિષે ધનહીનની એવી જ વૃત્તિ હોય છે. હે રાજા, જિનના વિઠારથી જ લેકોપર ઉપકાર થાય છે માટે વિચરતા વિચરતા અમે એકદા આ નગરમાં પણ આવ્યા હતા. તે સમયે તારે દ્વારપાળ સેબકને “તારે હું આવું ત્યાંસુધી આ સ્થાનેથી જવું નહી " એમ કહીને મને વંદન કરવા આવ્યે. પણ પાછળ સેડૂબક બ્રાહ્મણ જાણે કાળમાંથી આવેલ રાંક ભિક્ષક હેયની એમ કુળદેવીને શહેરીઓએ ચઢાવેલ બળિ ખાવા લાગે. અતિલુપ હતા તેથી તેણે કઠપર્યન્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy