________________ અર્જ ર 12 અભયકુમાર મંત્રીધરનું જીવન ચરિત્ર. સદ્ધાં જેમના ચરણની સેવા કરી રહ્યા હતા એવા શ્રીવીરજિનેશ્વર ગૌતમસ્વામી પ્રમુખ સંસદા સહિત ત્યાં આવીને માર્યા એટલે પિતાના સિન્યના ચાલવાથી ઉડતી રજથી પ્રભાપતિ-સૂર્યને આછાદિત કરતે શ્રેણિકનારેશ્વર તેમને વંદન કરવા એક કારણ કે જેમની સુરપતિ પણ ઉપાસના કરે છે એવા પ્રભુને વાંદવા જવાને કણ ઉતાવળું નથી થતું ? જિનરાજને મરકાર કરી દેશના સાંભળી ભૂપતિ સંધ્યા સમયે જે નગરભણી પદે ફતે હતે તેવામાં સરોવરના સમીપમાગમાં નાસિકાના અગ્રભાગને વિષે દષ્ટિને સ્થિત કરી શીતપસર્ગ સહન કરવાની ઇચ્છાથી બે પ્રકારે કાર્યોત્સર્ગ કરતા, મૃતિમાન સદ્ધર્મના સમૂહ હાયની એવા એક નિ:વસ્ત્ર મુનિ તેની દષ્ટિએ પડયા. એટલે એમના સદગુણોની પ્રશંસા કરતાં કરતાં વાહન થકી નીચે ઉતરી, રતિ સહવર્તમાન વિજયશાલી કામદેવ હેયની એવા મહીપતિએ ચેલૂણારાણી સહિત અતિ હર્ષવડે મુનિને વંદન કરી. પછી ચિત્તને વિષે સતેષ પામી પુનઃ વાહનમાં બેસી સાધુની સ્તુતિથી કર્મ ખપાવતાં તેણે, જવ કર્મપ્રકૃતિ સહિત પુરને વિષે પ્રવેશ કરે તેમ રાણી સહિત નગરને વિષે પ્રવેશ કર્યો. ત્યાર પછી મહાન સામતે આદિને રજા આપી આદરસાહત સાયંતન કૃત્ય સમાપ્ત કરી કપુર-અગુરૂ-ધુપ આદિથી વાસિત એવા વાસગૃહને વિષે પ્રવેશ કર્યો. ત્યાં એ નરેશ્વર, નિધિ સમુદ્રને વિષે શેષનાગની પીઠ પર શ્રીકૃષ્ણવાસુદેવ લક્ષ્મીની સંગાથે શયન કરે છે તેમ, ચેલુણરાણીની સાથે એકજ સુકમળ પલંગ પર સ્નેડ સહિત શયન કર્યું, અને મનથી તે આપણું પ્રથમથી જ ઐક્ય છે તે ચાલે. હવે શરીરથી પણ એ (એક્ય) કરીએ " એમ વિચારીને જ હોયની એમ દંપતી પરસ્પર (શરીર) મનપૂર્વક ગાઢ આલિંગન દઈને સૂતાં. હવે નિદ્રાવશ થયા પછી તેમનું ગાઢ આલિંગન છુટી ગયું (કારણ કે એ (નિદ્રા) સર્વ પુરૂષાર્થને ઘાત કરનારી છે); રાણીને હાથ જાણે શીતની પરીક્ષા કરવાનેજ હોયની એમ - 1, (1) દ્રવ્યથી, શરીરને (2) ભાવથી, ચાર હાથને, ત્યાગ કરતા, P.P. Ac. Gunratnasuri M.S.