SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ 29 પિતા-પુત્રને મેળાપ. છે માટે શીધ્ર ગમન કર " એમ જાણે અભિનય કરવા લાગ્યા; અને પ્રચંડ પવનથી હાલેલી–માટે જાણે નમન કરતી હોય એવી–શાખાઓવડે ( રૂપમાં ) કામદેવને જીતનાર એવા કુમારને જાણે વંદન કરવા લાગ્યાં. આ બધે ઉપચાર એમણે જાણે એમ ધારીને કર્યો કે આપણે આ આપણા જન્મદાતાની ભૂમિને વિષે વસીએ છીએ માટે જાણે એ એમને કર આગે.” (વાટ પૂરી થઈ અને ઈચ્છિત સ્થળે આવી પહોચ્યા) એટલે નગરને વિષે પ્રવેશ કરતાં એને મયૂર-નકુળ-ધાન–ચાષપક્ષી– વૃષભ-શુક અને ખંજનપક્ષી-એ સર્વ જમણાં ઉતર્યા; અને કુંભછત્ર–અશ્વત્રી અને ઉન્નત સુંઢવાળે ગજના કરતો હાથી–એ સર્વ ઉત્તમ રાજ્યલક્ષ્મીનાં મુખ હાયની તેમ એની સન્મુખ આવ્યાં. આવાં ઉત્તમ મંગળિકસૂચક શકુને સહિત તે, ભવ્ય પ્રાણું જિનેશ્વરના શાસનને પામે તેમ, પિતાના મહેલ પ્રત્યે પામે (હેલે પહ); અને વિમળ જેમ અપ્રમત્તગુણસ્થાને ચઢે તેમ, તે અનુક્રમે એ મહેલને સાતમે માળે ચડ્યો. ત્યાં એને પિતાના દર્શન થતી વખતે પિતે પૂર્વે કદિ નહિં અનુભવેલો એ હર્ષ થયે. પણ પાસે ગયે એટલે એમને વ્યાધિગ્રસ્ત જોઈ વિષાદ પામ્યો; લોકો રાહુથી ગ્રસ્ત એવા સૂર્યને જોઈને વિષાદ પામે છે તેમ. આમ એકે કાળેજ હર્ષવિષાદથી જેનું મન પૂરાઈ ગયું છે એ શ્રેણિક શિષ્યની પેઠે ઘણેકાળે ગુરૂજનને ચરણે પડે; એટલે રાજાએ પ્રમોદ સહિત તેના મસ્તકપર પિતાને હુક્ત સ્થા, તે જાણે દશમ દ્વાર દ્વારા પિતાના ભુજબળનું તેને (કુમારને) વિષે સંક્રમણ કરાવતે હોયની ! પછી પિતા પ્રસેનજિત રાજાએ પુત્ર-શ્રેણિકમાર પ્રત્યે કહ્યું- હે પુત્ર, ધર્મકાર્યને અર્થે જ હોયની એવી ત્વરાથી તું અહિં આવ્યું છે તે બહુ ચગ્ય કર્યું; કારણ કે મારે તારાં દર્શન થયાં. હે બધુવત્સળ પુત્ર ! તારો મેળાપ થયે એજ કહી આપે છે કે - - - 1 એક જાતનું વાજિત્ર 2 વિમળ એ આત્મા. 3 ગુરૂજન. [1] અધ્યાપક [2] વડીલ. 4 મસ્તક યોગના દશ દ્વાર કહ્યાં છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy