________________
નવયુગને જૈન
બે વખત સાફ કરનાર એક વખત સાફ કરનારમાં જે એજ અને હૃદયંગમતા વધારે જુએ તે તેની પ્રશંસા કરે.
અને આ રસ્તો પ્રાપ્ય ન જણાય તે બને પિતાને રસ્તે ટીકા નિંદા કે ગાળાગાળી કર્યા વગર કામ ચલાવ્યે રાખે. આવા અનુષ્ઠાનધર્મમાં ઝઘડે શોભે? અને તે યુગો સુધી ચાલે અને તેને આરે ન દેખાય એ કર્મને છતી મુક્તિ મેળવનાર માર્ગમાં કેમ હોઈ શકે એમ નવયુગ પ્રશ્ન કરશે. એને જવાબ હજુ સુધી મળ્યો નથી અને કઈ આપે એવું લાગતું પણ નથી. આવા વ્યર્થ ઝઘડાઓમાં શક્તિ, સાધન અને અવકાશનો ઉપયોગ કરી મુદ્દામ કાર્ય તરફ કેટલી ઉપેક્ષા બતાવવામાં આવી છે તેના જવાબ નવયુગને આપતાં ક્યાંયે પણ પરસેવો થઈ આવશે.
૪ પાંચ-છ કલ્યાણકને ઝઘડો તપગચ્છ ખરતર ગચ્છમાં આવા અર્થ વગરના એક બે મતભેદ છે, મુદ્દાને મતભેદ એક પણ નથી. બન્નેના આચાર્યાદિએ કરાવેલ પ્રતિષ્ઠા પરસ્પર માન્ય છે. તેઓ વચ્ચે ચોથપાંચમને મતભેદ છે તે નં. ૧માં આવી ગયો. એક ક્ષુલ્લક મતભેદ શ્રી મહાવીર પરમાત્માના છ કલ્યાણક માનવાં કે પાંચ માનવા એ છે.
કલ્યાણક એક ભગવાનની પુણ્યતિથિ. એ પ્રત્યેક તીર્થકરને અંગે પાંચ હોય છે. માતાની કુખે આવે તે પ્રથમ, બીજે જન્મદિવસ, ત્રીજે દીક્ષાનો દિવસ, ચોથે કૈવલ્યપ્રાપ્તિને દિવસ અને પાંચમો નિર્વાણપ્રાપ્તિને દિવસ.
ભગવાન શ્રી મહાવીરસ્વામી પ્રથમ દેવાનંદાના ગર્ભમાં આવ્યા, ત્યાં ૮૨ રાત્રી રહ્યા. પછી ક્ષત્રિયને ઘેર ત્રિશલા રાણીના
ઉદરમાં ગર્ભસંક્રમણ થયું. આ પ્રસંગ જેકે આશ્ચર્યભૂત છે છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com