________________
પ્રકરણ ૧૩ મું
જw w
તારવવાનું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એના વ્યવહારની વિચારણામાં પણ મધ્ય સ્થાને તે ધર્મ જ રહેશે.
વ્યવહારને સામાજિક બાબતેને વિચાર કરતાં અનેક પ્રશ્ન એક સાથે ખડા થઈ જાય છે. એને એક સાથે વિચાર ન થઈ શકે. પ્રથમ આખા સમાજને સત્તબદ્ધ રાખવા માટે કયા ઘેરણે કામ લેવામાં આવશે તે પર વિચાર કરીએ.
સંઘબંધારણ સમાજને સુનિયંત્રિત રાખવા માટે વ્યવસ્થિત મંડળ કેવી રીતે કરવું તેને વિચાર કરતાં નવયુગ ચાલતા “સં” તરફ જોશે. ત્યાં તેને નીચેના વાંધાઓ માલૂમ પડશે.
સંઘવ્યવસ્થામાં ધનવાનેને જ સક્રિય કાર્ય કરવાનો અધિકાર રહે છે. સંઘવ્યવસ્થામાં ધનવાને પકી પણ જેઓ રોવટિયા, ખટપટી અને અંતરડસ વગરના હોય છે તેમને જ સ્થાન મળે છે અથવા તેઓ તે સ્થાન પિતાને માથે આરેપ કરી લે છે. - સંઘવ્યવસ્થામાં ગરીબ વર્ગને કોઈ પ્રતિનિધિ પણ હેતે નથી અને તેમના મતની કદિ ગણના પણ થતી નથી અને તેમને પૂછવાની જરૂર હોય એમ પણ ધારવામાં આવતું નથી.
સંઘવ્યવસ્થામાં થાવાળે અથવા બહુ બેલ બેલ કરનાર માણસ ફાવી જાય છે જ્યારે શુદ્ધ પ્રમાણિક પણ ઓછું બોલનારને સ્થાન નથી.
સંઘવ્યવસ્થામાં પ્રતિનિધિ તત્વ નામનું પણ નથી.
સંઘ કેટલીક વાર ચતુર્વિધ કહેવાય છે, છતાં સ્ત્રીઓની હયાતી પણ સંઘે સ્વીકારી હોય એમ કોઈ સ્થાને જોવામાં આવ્યું નથી. સર્વ સામાન્ય પ્રશ્નમાં તે નહિ જ, પણ ખાસ સ્ત્રીઓને લગતા પ્રશ્ન પર પણ તેને સંધમાં બોલાવી હોય એમ જણાતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com