________________
પ્રકરણ ૧૭મું
૨૦૧
જના કોઈ ઠેકાણે સંવદન નહિ કરે કે પરસ્પર ગૂંચવાઈ નહિ જાય અને ક્ષેત્રમર્યાદાની કઈ ગૂંચવણ થશે તે કાર્યવાહક મંડળના ફેંસલાને જનતા શિરસાવંઘ ગણશે. આખું સંઘ સંગઠન અને અને પરિષદનું આખું બંધારણુ લેખીત કરવામાં આવશે અને તેમાં શંકા કે ગૂંચવણને સ્થાન ન રહે તેટલું તે સાદું, સ્પષ્ટ અને વ્યવહાર કરવામાં આવશે. આ પરિષદ આદિમાં વિચારવાના અનેક પ્રશ્નો અહીં નથી ચર્ચા પણ લેખમાં તે તેના સ્થાન પર આવી ગયા છે અને હવે પછી આવશે. દરેક વિચારણા અને નિર્ણયમાં સાપેક્ષવૃત્તિ રાખવામાં આવશે અને ભગવાનને માર્ગ જગતના હિતને માટે બતાવવા-વિસ્તારવા યોગ્ય છે એ નજરે અને નહિ કે મારે ધર્મ છે કે મારા બાપદાદાને ધર્મ છે એ નજરે એના પર જોવામાં આવશે. હૃદયની નિર્મળતા, સાધ્યની સાપેક્ષતા અને પુરુષાર્થની પ્રચુરતા આગળ પર્વત જેવી મુશ્કેલીઓ પર દૂર થઈ શકે છે અને સેવાભાવે અપાયેલા ભેગે કે કરેલાં કાર્યો કદિ નકામાં જતાં નથી એ નિશ્ચયના બળ પર નવયુગ ઝઝૂમશે.
સામાજિક સ્થિતિને અંગે આપણે શિખર પર એકદમ શરૂઆતથી જ ગયા. આ પરિષદ આદિ બંધારણે પર અવારનવાર વિચાર કરવાનું રહેશે તે આગળ આવશે. આપણે હવે સામાજિક પ્રશ્ન પર અને ખાસ કરીને વ્યવહારના પ્રશ્ન પર નવયુગને શે નિર્ણય રહેશે તે સંક્ષેપમાં જોઈ જઈએ. નવયુગની વિચારધારાના મુદ્દાઓ આપણે વધતે અંશે સમજી ગયા છીએ તેથી હવે ઘણે વિસ્તાર કરવાની જરૂર નહિ રહે. નવયુગનું ધોરણ અનેક પ્રશ્નને અંગે તદ્દન નૂતન થવાનું છે એટલી પ્રસ્તાવના સાથે આપણે
વ્યવહારના થડા પ્રસંગે વિચારી જઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com