________________
૨૪૬
નવયુગને જૈન
આવશે. શાંતિમાં કેટલું ગાંભીર્ય છે તેને સાક્ષાત્કાર થશે. પછી સ્મશાનમાં વિલાયત અમેરિકાની વાત નહિ થાય. ત્યાં સંસારની અસ્થિરતા, નેહસંબંધની અસારતા વગેરે ગંભીર ભાષામાં રજૂ થશે અને મરણને વેગ લાક્ષણિક નિરવ શાંતિ પ્રસરશે.
આ આ ફેરફાર મહાસભા સામાજિક પ્રશ્નોની ચર્ચામાં કરશે અને એને મેગ્ય પ્રચારકાર્ય કરીને અલ્પ સમયમાં એને અમલ કરી શકશે.
ઉત્તરકાર્ય આ એક સામાજિક ઓટો રિવાજ છે. અસલમાં કોઈ વૃદ્ધ ગૃહસ્થના મરણ વખતે શરૂ થયેલ રિવાજ ધીમે ધીમે કાળક્રમે ફરજિયાત થઈ ગયું છે. કોઈ મરણ પામે એની પછવાડે રહેનાર વારસોએ જમણ કરવું જોઈએ. જમણું એટલે મિષ્ટાન્ન. એમાં વિવેક એટલે બધે ભૂલાઈ ગયો કે ગરીબને માથે પણ એ રિવાજ ફરજ રૂપ થઈ ગયો. લગ્નપ્રસંગ તે ધાર્યો આવે. દીકરાદીકરીના જન્મથી એ ખર્ચ કરવા પહેલાં માબાપને વર્ષો સુધી તૈયારી કરવાની રકમ બચાવાની તક મળે, પણ મરણ તે અણધાર્યું આવે અને “મરણું માતપિતા તણું બે વાતે દુઃખદાઈ શોક કરાવે સામટા, અને મરતું મારતું જાય”—આ સ્થિતિ થઈ પડી.
પછી તે જુવાનજોતના મરણ ઉપર પણ ઘી અને મીઠાઈ ઉડવા લાગી અને ઉત્તરકાર્ય કરવું એ આબરૂને–ોકને સવાલા થઈ પડ્યો. પછી ઘરબાર ઘરેણે મૂકીને પણ નાતને તે રાજી રાખવી પડે એવી પ્રથા ચાલી. પછી તે પંદર વીસ દિવસમાં નાતનું “ઋણ” પતાવવું જોઈએ એમ વાત થઈ પડી અને અંતે એ રિવાજ કષ્ટકર માનભંગ કરનાર અને અત્યંત અમર્યાદિત થઈ ગયો. પછી તે “કાંધિયાની કાંધ ધશો નહિ, તે તમારાં મડદાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com