________________
પ્રકરણ ૨૫ મું
શારીરિક નવયુગને તુરત ધ્યાન આપવા યોગ્ય શારીરિક વિષય છે. જૈનધર્મના પ્રરૂપક ક્ષત્રિય, એમાં મુખ્યત્વે રસ લેનારા અસલ ક્ષત્રિય, પણ પછી વાણીઆ બની ગયેલા અને વાણી બન્યા તે એટલી હદ સુધી કે તે પિતાનું ક્ષત્રિયત્વ વિસરી જ ગયા. જેના મુંજાલ મહેતા, વિમળ મંત્રી, શાંતુ આદિ બબે હાથમાં તરવારે લઈ લડાઈમાં લડયા અને જેનાં વડીલો કર્મશત્રુઓ સામે અનેક પરિષહ ઉપસર્ગ વેઠી લડ્યા તેના વારસે શરીરે તદ્દન સામાન્ય, અનેક પ્રસંગે નિર્માલ્ય એક સાધારણ પ્રતિસ્પર્ધીથી ડરી જનારા થઈ ગયા.
અત:પર્યત બેદરકારી અત્ર જનતાની સામાન્ય સ્થિતિ ચીતરવાની વાત ચાલે છે તેથી કોઈએ ખાસ ખોટું લગાડવાનું નથી. જૈન ધર્મ ઉપર વાણુઆઓને એકલાને અધિકાર નથી. એ સર્વની મિલ્કત અને વારસે છે. અત્ર જે સ્થિતિ વર્ણવવાની છે તે વણિકવર્ગને જ લાગુ પડે છે અને અત્યારે તેની બહાળતા જૈન તરીકે હોવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com