________________
પ્રકરણ ૨૫ મું
૩૩૨
આ જુવાનિયા વગેરે વગેરે. આ સર્વ દરરોજના અનુભવને વિષય છે. અને સારું થાય ત્યારે તે સર્વ ભૂલી જાય છે. આ જાતનું ધોરણ કે દલીલ વગરનું ડહાપણ સમાજપ્રગતિમાં ઘણું આડું આવે છે. આવા ડહાપણથી જેમ દૂર રહેવાય તેમ સારું.
છતાં નવયુગ સર્વ કરે તે સારું એમ પણ ધારી લેવું નહિ. એને અંગેની દલીલે વિચારવી, ગણતરી ધ્યાનમાં લેવી, બને બાજુની દલીલેની તુલના કરવી અને પરિણામે જેમાં વધારે લાભ જણાય તે માર્ગને ટેકો આપવો.
આ સર્વ સૂત્રે જેમ શારીરિક શિક્ષણને અંગે ઉપયોગી છે તેમ આખા સમાજના સર્વ પ્રશ્નને અંગે વિચારવા ગ્ય છે. ઘણા માણસો જરા પણ ફેરફાર થાય તેથી વિરુદ્ધ હોય છે. તે જેમ નિરર્થક છે તેમ જ જેઓ ખાલી દોડધામ અને અથડાઅથડીમાં માનનારા હોય તે પણ નકામા છે. દેશકાળ ફેરફાર માગી રહ્યું છે પણ ગાડું ગમે તેમ ગબડાવવા જેવું નથી. હિસાબ, ગણતરી, દીર્ધદષ્ટિ અને સમાજહિત લક્ષ્યમાં લીધા વગર નાટકના ખેલની જેમ જીવનને અફળાવવા જેવું નથી, તેમજ પડી પથારીએ બેસી રહેવા જેવો આ કાળ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com