Book Title: Navyugno Jain
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 373
________________ - - - - - ૪૪૮ નવયુગને જૈન સાધને નવયુગને બહુ મોટા પ્રમાણમાં મળશે; પુસ્તકે, ચર્ચાઓ, ભાષણો અને વાતાવરણ એને અનુકૂળ થતું જશે, દેશમાં વ્યાપેલ નવીન જાગૃતિ અને સહાય કરશે, સેવાભાવના અને તેમાં મજબૂત રાખશે, રાષ્ટ્રીય ભાવના સાથે એ અનેક પ્રકારના ભોગ આપતાં શીખશે અને એ ભોગોના આંતરમાં એને વિચારણા અને જીવનક્રમ -સાથે અનેક અનુસંધાને પર તુલના કરવાની તકે મળશે. નવયુગ આ સર્વનો ઉપયોગ સારી રીતે કરશે. અત્રે આ અતિ વિશાળ રસિક વિષયને આટોપી લઈએ. નવયુગે એક વાત ખાસ લક્ષમાં રાખવાની છે અને તે તેના જ્ઞાનના પ્રકાશથી તે જાણી શકશે. જૈનને નીતિ માર્ગ (Ethics) બહુ દુર્ઘટ છે. એ જેટલો દુર્ઘટ છે તેટલે જ તે સંગત (logical) છે. એનું ચણતર અહિંસાના પાયા પર ચણાયેલું છે, એનું શરીર સંયમ પર બંધાયેલું છે અને એનો ઝોક ત૫- ત્યાગ પર છે. આ વાત આ નીતિમાર્ગ વિચારતી વખતે લક્ષ્યમાં રાખવાની છે. જ્યાં સેવાભાવ દિવસાનદિવસ વધવાને છે, જ્યાં સાદુ જીવન અને ઉચ્ચ વિચાર માત્ર આદર્શમાં ન રહેતાં વ્યવહારૂ થવાના છે, જ્યાં આખા જીવનને મુદ્દો અન્યની સગવડ અને સુખના વિચાર પર બંધાવાને છે તે નવયુગમાં આ વિષમ પણ આકર્ષક માર્ગ આદરણીય વ્યવહારૂ અને પ્રગતિશીલ બનવાને એમાં શંકા રાખવા જેવું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394