________________
૩૪૬
નવયુગને જૈન
પ્રાણીને થાય છે અને તેને નિકાલ કરવામાં એની આવડત, લબ્ધ લક્ષ્યતા અને સન્મુખવૃત્તિની કિંમત થાય છે. નવયુગમાં જીવન વધારે વધારે સંકીર્ણ થતું જવાને પૂર સંભવ છે. જીવનકલહની આકરાશને લીધે, સંવ્યવહાર વધતો જતે હેવાને લીધે, આંતરરાષ્ટ્રીય પ્રશ્નો અનેક નવીન આકારમાં આવી પડવાના હેવાને કારણે અને નવા પ્રસંગે નવીન વિચારણનાં સાધને દેરતા હોવાને લઈને આવા નૂતન પ્રસંગે અનેક નવા સવાલ ઊભા કરશે. નવી નવી જાતના ઉદ્યોગે, નવા પ્રકારના કામધંધા, સરકારી નોકરીને અંગે જાહેર પ્રશ્ન, મ્યુનિસિપાલ પ્રને, ધારાસભાના પ્રશ્નને અંગે અનેક સંકીર્ણ પ્રશ્ન ઊભા થશે. પણ એ સર્વને નિકાલ કરી શકે એટલી શક્તિ પણ વિશિષ્ટ નાયકોમાં આવી જશે. આવા પ્રશ્નથી ગભરાવાનું કારણ નથી. જીવનમાં ગૂંચવણે આવે છે અને આવે તેને નિકાલ થાય છે. માત્ર કાર્યવાહક બુદ્ધિ, વિચારશક્તિની ચેખવટ અને સાધ્યનું લક્ષ્ય હોય તે સુંદર પરિણામ જરૂર આવે છે.
જીવનનું રહસ્ય અને નીતિ વ્યવહારૂ ગુણે ખીલવવા–એમાં જીવનનું રહસ્ય છે. આ લેખ ઉપદેશ માટે લખાયેલ ન હોઈ એ આખા વિષયના આદરણીયપણા સંબંધી લખવું અસ્થાને ગણાય, પણ એક વાત ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે કે આ જીવનનું ફળ મોટી સંપતિ એકઠી કરવામાં નથી, કે મેટી નામના મેળવવામાં નથી. ગુણપ્રાપ્તિમાં કેટલી પ્રગતિ થઈ એજ એને હિસાબ છે અને એના સરવૈયાના આંકડાને મેળ ત્યાં જ મળે છે. જેમ જીવન ઉચ્ચ, આદર્શ ઉચ્ચ, આદર્શ પહોંચવાની તાલાવેલી વિશેષ અને વર્તનમાં નૈસર્ગિક નિર્મળતા સુકોમળતા અને વિશાળતા પ્રાપ્ત થાય તેમ તેમાં ફળ બેસતું
જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com