Book Title: Navyugno Jain
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 372
________________ પ્રકરણ ૨૬ મું ૩૪૭ જીવનના વિકાસક્રમની દિશા સમજવા માટે, એમાં નીતિના માર્ગોને કેટલે અવકાશ છે તેને સ્પષ્ટ ખ્યાલ લેવા માટે શ્રી હરિભદ્રસૂરિને યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ અથવા તેના અગત્યના વિભાગનું ગુજરાતી પદ્યભાષાંતર શ્રીમદ્યશોવિજયજી કૃત આઠ દષ્ટિની સઝાય જોવામાં આવશે તે નીતિના આખા વિભાગને ધર્મ શરીરના વિકાસમાં કયું સ્થાન છે તેને ખ્યાલ આવશે. આ દષ્ટિ પૂર્વપુરુષમાં હતી, વચ્ચેના કાળમાં જનતામાંથી બહુ ઓછી થઈ ગઈ તે નવયુગમાં બરાબર સમજાશે અને સમજાયા પછી તેને અમલ થશે. પ્રકીર્ણ નાના નાના સગુણોને તે પાર નથી. એનાં નામે લખીએ તે પણ પૃષ્ટો ભરાય તેમ છે. ઉલ્લેખની જરૂર નથી. જરૂર એ છે કે આ પ્રાણી ચારિત્રશીલ થઈ સ્વાભાવિક રીતે જ તે માર્ગે ચાલે. એને ગમે તેવા વિષમ પ્રસંગે માં પણ જૂઠું બોલવાને ખ્યાલ પણ ન આવે, કોઈ પણ આક્ષેપ કરવા પહેલાં એને અંતરમાં પૂજારો થાય અને તે ત્યાં અટકી ન જતાં અંતે એને દુર્ગુણમાં પડતા અટકાવે અને સગુણોને પ્રતાપે તાત્કાલિક અગવડ કે નુકસાન થાય તે તે બહુ આનંદથી વહેરી લે – આવી નૈસર્ગિક ચારિત્રશીલ વૃત્તિ થઈ જાય તે આ જીવનને માટે પ્રશ્ન પતી જાય છે, ગૂંચવણને નીકાલ થાય છે અને કેયડે ઉકલી જાય છે. આવી સામાન્ય સૂચના સાથે આ અતિ મહત્વને નૈતિક વિષય આટોપી લઈએ. બાકી તે ચાર કષાય ન કરવા કે બ્રહ્મચર્ય ઉપર વિશેષ ધ્યાન આપવું—એના સમર્થનમાં આવવું પુસ્તક લખાય તેમ છે. અન્યત્ર તેવો પ્રયાસ થયો છે અને થશે. અત્ર કહેવાને મુદ્દો એ છે કે આવા પ્રશનો નિકાલ કરવા માટેનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394