Book Title: Navyugno Jain
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 362
________________ મકરણ ર૫ મું સેવાભાવને આગળ કરનાર નવયુગમાં પુરુષો તેમજ સ્ત્રીઓ અનેક મંડળે સેવા માટે જશે અને પ્રત્યેકમાં તાલીમનું તત્ત્વ ખાસ દાખલ કરવામાં આવશે. સ્ત્રીઓ પણ શરીરને કસીને સહનશીલ બનાવશે અને સંયમવાન બની જનતાને ખૂબ મજબૂત કરશે. વિદુષી માતાનાં બાળકે નાનપણથી શરીરે પણ સુંદર મજબૂત અને સહનશીલ થશે. આ સર્વે બાબતેને અંગે શરીર કસવા સંબંધમાં પૂરતી સગવડે અને વ્યવસ્થાઓ કરવામાં આવશે. પરિવર્તન કાળની શરૂઆતમાં જેમ ધર્મ સંબંધી ભ્રમ થયે તેમ શરીર સંબંધી પણ ભારે બેદરકારી થઈ ભણનારા ઊંધું ઘાલી વાંચતાં જ ગયા અને શરીરને તદ્દન વિસરી ગયા. પરિણામે એક આખો યુગ મેટ્રીક માંદાની કવિતામાં ઉપર વર્ણવ્યા છે તે આવી ગયો. નવો યુગ એથી તદ્દન ઉલટ જ આવશે. ફેરફારને અંગે વિચારે કઈ પણ ફેરફાર કરવામાં આવે તેમાં આ તત્વ તરફ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ફેરફાર શબ્દ અહીં ઇરાદાપૂર્વક વાપર્યો છે. “સુધાર' શબ્દ કેટલીક વાર કચવાટ ઉત્પન્ન કરે છે. પરિણામ એક જ છે. જ્યારે ચાલુ પ્રણાલિકામાંથી ફેરફાર સૂચવવામાં આવે ત્યારે તેને એક કાળી રેષા પસાર કરવી પડે છે. એ રેષા અનિવાર્ય છે, પણ એનાથી ડરી જઇ ફેરફારને અટકાવાય નહિ. દાખલા તરીકે સ્ત્રીશિક્ષણ શરૂ કરવામાં આવ્યું ત્યારે કેટલીક સ્ત્રીઓ ઉપર સાચા ખોટા આક્ષેપ થયા હતા, કોઈ સ્ત્રી નવીન વિદ્યાને લીધે અભિમાની પણ થઈ હશે અને એકાદ ટકાએ સ્વતંત્રતાને કદાચ દુરૂપયોગ પણ કર્યો હશે. સ્ત્રીશિક્ષણ સર્વ સામાન્ય થતાં એ સર્વ વાત હવે દૂર થઈ ગઈ છે. પણ શરૂઆતમાં અમુક ખલનના પ્રસંગને આગળ કરીને તે કારણે ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394