Book Title: Navyugno Jain
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 360
________________ પ્રકરણ ૨૫ મું ૩૩૫ મુઠ્ઠી પાછી ફરે નહિ એ નિશ્ચય વરને જ હોય! એણે એ જ સ્થાન પર ઘેર તપસ્યા કરી કૈવલ્ય પ્રાપ્ત કર્યું. “જે કમે શરા તે ધમ્મ શ” એ વાત એમના આખા ચરિત્રમાં જોવાય છે. એ અસાધારણ તાકાત ધરાવનાર સંસારમાં રહે તે ધણીપતું કરે અને સંસાર બહાર જાય તે કર્મો સાથે લડી નિરાબાધ સુખ મેળવે. જૈન ધર્મ કાચાપોચા માટે નથી, માયકાંગલા માટે નથી, બેઠા બેઠા ખાવાવાળા માટે નથી; એ વીરનો ધર્મ છે, બહાદુરને ધર્મ છે, શૂરવીરને ધર્મ છે. રમતાં રમતાં સર્પ આવે તે ફેંકી દે અને સાત તાડનું રૂ૫ કરે તે એના વાંસામાં એક હાથ મારે ત્યાં દેવતા પણ નાસી છૂટે. જેના વસ્તુપાળ તેજપાળે લડાઈમાં લડ્યા, જેના ચક્રવર્તીઓએ છ ખંડ પૃથ્વી સાધી, જેના કુમારપાળ જેવા રાજાએ બાર બાર વર્ષ સુધી એક નગરીને ઘેરા ઘાલ્યા–એને માટે આ ધર્મ છે. બાવીશ પરિષહ વાંચીને ડરી જાય તે આગળ કેમ વધે? એને તે જંગ જમાવવાને છે, એને નિર્ભય થઈ વધવું છે, એને દુનિયાને અભય આપવું છે, લેવું નથી. એટલે શારીરિક સંપત્તિ વધારવાની જરૂર નવયુગને તુરત લાગશે. એ અનેક યોજનાઓ તે માટે કરશે. સાધનોની વ્યાખ્યા આપવાની જરૂર નથી. પરિણામે શારીરિક સ્થિતિ ખૂબ મજબૂત થાય તેવા પ્રયોગોનો અમલ એક ખાસ મહત્વની બાબત તરીકે કરી નવયુગ પ્રત્યેકને કસરતાજ તાલીમદાર અને પિતાને અને પિતાનાઓનો બચાવ કરી શકે એવા સશક્ત બનાવશે. શારીરિક તાલીમના લાભ આવા ખડતલ માણસે સ્વયંસેવકે થશે. એ અનેક પ્રસંગે સેવાભાવ સાધશે. સમાજના કાર્યોમાં ઊભા રહેશે. જનતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394