________________
૩૩૪
નવયુગને જૈન
કસરતશાળા, મરદાનગીને પગે, મરદાનગીપષક રમતે, હવા ખાવાનાં સ્થળો અને ક્રીડામંદિરે નવયુગ અનેક પ્રકારે રચશે, એને મન્નબદ્ધ કરશે અને એના સંબંધમાં ખૂબ પ્રયત્ન કરશે.
પૂર્વકાળમાં શારીરિક તાલીમ પૂર્વકાળનું કઈ પણ ચરિત્ર વાંચતાં શારીરિક તાલીમને કેટલું મહત્વ અપાતું હતું તે ધ્યાન પર આવ્યા વગર રહે તેમ નથી. શ્રી કલ્પસૂત્રમાં સિદ્ધાર્થ રાજા સભામાં બેસવા જાય છે તે પહેલાં કેટલાક શારીરિક પ્રયોગ કરે છે તે સુપ્રસિદ્ધ વાત છે. એના સ્નાન પહેલાં એ મોટી વયે પણ અનેક કસરતે કરે છે, તૈલાભંગ તથા મર્દન કરાવે છે–આ સર્વ શારીરિક સ્થિતિ મજબૂત રાખવાની વાત જ બતાવે છે. શ્રી શ્રીપાળને આ વૈભવ શારીરિક બળમાંથી ઉદ્ભવે છે. એનું બળ હજારેની સામે થાય તેટલું હતું, એના સાહસમાં ખામી નહતી, એની આત્મશ્રદ્ધા અસાધારણ હતી અને પ્રત્યેક પ્રસંગે એ આગળ ધપ્યા જ રહ્યા છે તેનું મૂળ શારીરિક બળમાં છે. એ એકલા બળથી કામ થતા નથી, પણ એના વગર નભતું જ નથી એ વાત લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. પૂર્વકાળમાં લગભગ દરેકને શરીર મજબૂત રાખવાની જરૂર પડતી હતી. વચ્ચેના વખતમાં એ વાત વીસરાઈ ગઈ એને પરિણામે આ ભવ અને પર ભવનું સાધવામાં ઘણી મંદતા આવી ગઈ.
શ્રી આદીશ્વર ભગવાનને પુત્ર બાહુબળિએ કેવું શરીરબળ પ્રાપ્ત કર્યું હતું તે તેનું આખું ચરિત્ર વિચારતાં સમજાય છે. દૂતને એણે આપેલ ઉત્તર અને સાહસિકપણને શોભાવે છે અને યુદ્ધમાં પાંચ પ્રકારના યુદ્ધમાં એને વિજય એને વધારે દીપાવે છે.
એ મજબૂત શરીરમાં મજબૂત આત્મા બેઠે હતે. ઉપાડેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com