________________
નવયુગને જૈન પાલવે તેમ નથી. એ સંબંધમાં ઉપેક્ષા રાખવાથી વ્યાપારનું સ્થાન દિવસાનુદિવસ ઘસાતું જાય તેમાં જરા પણ આશ્ચર્ય નથી. આ વિચાર નવયુગને પ્રેક નીવડી તેને રાજકારી બાબતમાં ભાગ લેતે કરી દેશે.
આર્થિક અને રાજકારણની કેળવણી આને પરિણામે આર્થિક પ્રશ્નની કેળવણી લેવાની નવયુગ ખાસ સગવડ કરશે. રાજકારણમાં ભાગ લેવા માટે આખું વહીવટી બંધારણ સમજવાને યોગ્ય પ્રબંધ કરશે. આયાત-નિકાસના આંકડાઓ, તેને વ્યાપાર સાથે સંબંધ, ઉત્પત્તિને લગતાં નિવેદને, રેલવેને અંગે સરકારની નીતિ, તેના ઘેરણમાં ફેરફાર થવાની અગત્ય, મજૂરપક્ષનું ધોરણ, એને સમાજવાદ, એ સ્થિતિ થવાનાં કારણોને ઇતિહાસ આદિ અનેક પ્રશ્નને નવયુગ ખૂબ વિગતથી સમજશે. અને રાજકીય પ્રકરણમાં તે અભ્યાસના મુદ્દાઓને પાર નથી. ચૂંટણીના બંધારણથી માંડીને કાયદા કરવાના ધોરણે, વરિષ્ઠ અને પ્રાંતિક મંડળમાં કાયદાઓ ઘડવાની ચર્ચા કરવાની અને પ્રશ્ન પૂછવાની રીત, ઓર્ડરના સવાલ, સ્થાનિક સ્વરાજ્યના નામથી ઓળખાતી મ્યુનિસિપાલિટીઓથી માંડીને અનેક રાજકીય મંડળના બંધારણને અભ્યાસ આદિ અનેક પ્રશ્નને અભ્યાસ કરવા નવયુગે તૈયાર રહેવાનું છે અને તે કામ તે કરશે. અર્થશાસ્ત્ર અને રાજકારણની કેળવણી માટે રાત્રીના અનેક સેવાભાવી તત્તે ભાષણો આપશે અને સામાન્ય જનતાને પણ સર્વ પ્રશ્નમાં રસ પડે તેવી રીતે અર્થશાસ્ત્રની અને પ્રચલિત રાજ્યકારી પ્રશ્નોની ચર્ચા કરવાનાં સાધને તે પૂરાં પાડશે.
રાષ્ટ્ર અને સમાજ નવયુગના જૈનમાં આ રાજકીય વિષયમાં ભાગ લેવાને પરિણામે એક જાતની ભારે વિશાળતા આવશે. એ કઈ પણ પ્રશ્નની ચર્ચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com