________________
૩૧૬
નવયુગને જૈન
ચાર્યનું અદ્વૈત સુંદર ભાગ ભજવશે. આ ભૂમિકા ઉપર હિંદ અંદર અંદરની એકતા કરી આંતરરાષ્ટ્રીયતા સાધશે. અહિંસાના પાયા ઉપર હિંદમૈયા માટે વિશાળ ભવિષ્ય પડેલું છે અને તેની સિદ્ધિ નવયુગને શ્રીહસ્તે થવાની છે.
રહસ્ય સવરૂપ આ વાતની શક્યાશક્યતા પર, ધર્મની આદેયતા પર, નવયુગને ધર્મ સાથે સંબંધ રહેશે કે નહિ એ પ્રશ્ન પર ઘણું વક્તવ્ય છે, પણ અત્ર તે તેનું પરિણામ જ બતાવ્યું છે. આ રીતે જ ભવિષ્યને ઇતિહાસ અત્યારે ઘડાતું જાય છે એ બાબત શંકા કરવા જેવી નથી અને ધાર્મિક ભાવના ઘણી ઊંડી ઉતરતી જાય છે તે અભ્યાસ કર્યા વગર સમજાય તેવું નથી. ધર્મનું બાહ્ય ક્રિયાસ્વરૂપ જુદું છે અને ધર્મનું આંતર હાર્દ તદ્દન જુદું છે. અત્યારે બાહ્ય ધમાલે દેખાવો કે આડબરે એાછા થાય અથવા ધર્મના બાહ્ય સ્વરૂપમાં જમાનાને ગ્ય ફેરફાર થતું જાય તેમાં ગભરાવાનું નથી, દશ વર્ષ પર ઢેડ કે ચમારને અડી જતાં સ્નાન કરનાર અત્યારે તેમનાં વાસસ્થાનમાં જઈ અનેક પ્રકારે કાર્ય કરવા લાગી ગયા છે તેથી પ્રાચીનેને ધર્મ ચાલ્યું જાતે લાગે છે તેથી પણ મુંઝાઈ જવાનું નથી. બારીક અવલોકન કરી અભ્યાસ કરનાર અત્યારે જોઈ શકે છે કે ધર્મ ભાવના ખૂબ જડ ઘાલતી જાય છે, વધારે મક્કમ થતી જાય છે અને શેષનાગને માથે ખીલા ઠેકાતા જાય છે. આ વિશાળ ભાવનાને – આ જગદ્વાત્સલ્ય ભાવને – આ વિશ્વબંધુત્વને રાજ્યદ્વારી ભૂમિકા ઉપર ખૂબ અવસર મળવાને છે, એને નામ ગમે તે આપે, પણ તેના હાર્દમાં સેવા ધર્મ અને સંયમ જ છે. નવયુગ એને ખૂબ પોષશે, એને
ખૂબ બદલાવશે, એને ખૂબ સકારશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com