________________
પ્રકરણ ૨૪મું
૩ર૧
પરિવર્તનકાળની શરૂઆતથી વાજું ફરવા માંડયું. છોકરીઓ વિદમાં ભણવા લાગી, પણ ભણી એટલે એની આંખે ઉઘડવા માંડી. છતાં બાપદાદાથી ઉતરી આવેલા લાજના વાસાએ એને નિર્વાફ ચાલુ રાખી પણ અંદરખાનેથી ધનધનાટ શરૂ રહ્યો.
સ્ત્રીશક્તિ અને જાહેર સેવા દરમ્યાન ગુજરાતના ગામડેગામડાને ઢઢળી એક મહાત્મા ડાંડી સુધી પહોંચી ગયા. આખું હિંદુસ્તાન જાગ્યું. મહાત્માએ સ્ત્રીશક્તિને આન કર્યું, તેને જપતા – પિકેટીંગનું કામ સોંપ્યું. એ કાર્યમાં સ્ત્રીઓએ અસાધારણ સહનશક્તિ, શૌર્ય અને આવડત દાખવ્યાં, ન કલ્પી શકાય તેવા ભોગે આયા, કારાવાસને મહેલનિવાસ માન્યાં અને આખી જનતાને જગાડવા સાથે સ્ત્રીસામર્થ શું છે તેને દાખલો બેસાડ્યો. ઠામ ઠામ ન માની શકાય તેવાં દષ્ટ બન્યાં અને સ્ત્રીઓ પિતે ન માને તેવી શક્તિ તેનામાં ગુપ્ત છે અને હજુ પણ તેને માટે ભવિષ્ય છે એમ સિદ્ધ થયું.
નવયુગની નારી આટલી હદે તે હજુ પરિવર્તનકાળમાં જ સ્ત્રીઓ આવી છે. નવયુગમાં તેનું સ્થાન શું રહેશે તે નવયુગની નજરે હવે જોઈ જોઈએ. નવયુગમાં સ્ત્રીઓ ખૂબ ભણશે. પુરુષ જે ભણે તે સ્ત્રી પણ ભણી શકે એવું ધોરણ રહેશે. સ્ત્રીઓનું કાર્યક્ષેત્ર જુદું હોઈ તેને જુદા પ્રકારની કેળવણી આપવી જોઈએ એ આ સિદ્ધાન્ત ઉડી જશે. પ્રાથમિક શિક્ષણ સર્વ બાળાઓ લેશે. ત્યાં સહશિક્ષણ ચાલશે. ત્યાં શીવણ, સ્વચ્છતા, રસોઈ અને ગૃહઉદ્યોગને પ્રાધાન્ય મળશે. મધ્યમ અને ઉચ્ચ અભ્યાસ અનેક સ્ત્રીઓ કરશે. તેઓ પુરુષ સાથે અનેક બાબતમાં હરિફાઈ કરશે. ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com