________________
નવયુગને જૈન
જૈનેની સંખ્યા, તેમની વ્યાપારના ક્ષેત્રમાં લાગવગ, તેમની ગામડાઓમાં સ્થિતિ, તેમનું હિંદસમાજમાં સ્થાન અને તેના કેળવણીના મનોરથ જોતાં તેમને એવું પગલું ભરવું લાછમ પણ નથી અને તેમ કરી સમાજથી જુદા પડવામાં લાભ પણ નથી. એને બદલે એનાં બાળકેએ એવી લાયકાત કેળવણી દ્વારા મેળવવી રહી છે જેથી એ જે માગે તે એને જરૂર મળે. અત્યારે કેટલાંક સ્થાને જેનોએ શરૂઆત કરી લેવા માંડ્યાં છે, પણ તે તેઓ જૈન હોવાના કારણે નહિ, પણ જે બાબતમાં પડે તેમાં સેવાભાવે કામ કરનારને એ મળે છે એ ધારણે તે સાંપડ્યાં છે. આ નીતિ તદ્દન યોગ્ય છે. પારસીઓ જે પિતા માટે અલગ પ્રતિનિધિત્વ ન માગે તે તેનો હેતુ સમજવા યોગ્ય છે અને તે જ મિસાલે જૈનોએ તેનું અનુકરણ કરવા યોગ્ય છે. નવયુગ આ મુદ્દો વ્યવહારૂ રીતે સમજશે અને રાષ્ટ્રહિતના પ્રશ્નમાં જૈનત્વને કદિ વચ્ચે નહિ લાવે, પણ તેને બદલે પિતાની લાયકાત વધે, શિક્ષણ પ્રાપ્ત થાય અને કેળવણીને પરિણામે મોટા વર્તુળમાં નામના કરે એ તેની ભાવના રહેશે. રાષ્ટ્રના પ્રશ્નને અંગે જૈન કદિ સંકેચભાવ નહિ બતાવે. અમુક ધારાસભામાં કે સરકારી નોકરીમાં કે સ્થાનિક સ્વરાજમંડળમાં અમુક બેઠકે જેના માટે રાખવાની વાત તે ઉપરના ઘોરણે કરવાનો વિચાર કદિ નહિ રહે.
પસંદગીમાં વિશાળતા આટલા મુદ્દાઓ લક્ષ્યમાં રાખી વિશાળ જીવનને યોગ્ય અભ્યાસ અને ખાસ તાલીમ પ્રાપ્ત કરી નવયુગને જૈન ભારતના વિશાળ ક્ષેત્રમાં ખૂબ ફરશે. એ વિધાનપૂર્વક રાજદ્વારી પ્રમને ચર્ચશે, એ સમાજના સેવક બનવાને મરથ રાખશે, એ નેતા થશે તે પણ નમ્ર થશે, એ અમલ પર આવશે તે પણ અહિંસા, સંયમ અને તપને પૂજારી થશે, એ જવાબદારીના સ્થાન પર
આવશે તે પિતાની ફરજ બરાબર સમજી તેને અમલ કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com