________________
--
પ્રકરણ ૧૯ મું
૨૫૯
બાળકને માટે પોષકગૃહ (નર્સરી) ગીરણીની સાથે તૈયાર થશે, ત્યાં શિક્ષણની રચના થશે, કામદારેમાં મનુષ્યત્વ પિષે એવા રયુક્ત પ્રસંગે યોજાશે અને અનેક રીતે શેઠ અને કામ કરનાર વચ્ચે મિઠ સંબંધ જળવાય એવા પ્રસંગે ઉપસ્થિત કરવામાં આવશે.
આ તે ગીરણી કામદારોની વાત થઈ એ જ મિસાલે ખેડૂત અને વ્યાપારી વચ્ચે સંબંધ વધારવા માટે શાહુકારીની આખી રીતભાતમાં મેટે ફેરફાર થશે અને સહકારી મંડળની
જનાને અનુરૂપ વ્યવસ્થા થશે જે વ્યાપારના શિર્ષક નીચે આગળ વિચારવામાં આવશે.
નવયુગ આખું સમાજબંધારણ એવી રીતે ફેરવી નાખશે કે ધનવાન અને શ્રમજીવી વચ્ચે ઘર્ષણના પ્રસંગે દૂર થઈ જશે. એમ કરવામાં પરિગ્રહપરિમાણ નિયમન ખૂબ અગત્યનો ભાગ ભજવશે.
ઔદ્યોગિક સંસરણમાં આગળ વધેલા દેશની અંદર અત્યારે જે ખરાબી થઈ રહી છે તેને અનુભવ લઈ એ જ વાત હિંદમાં પણ શરૂ થાય એ સ્થિતિ નવયુગ નહિ રહેવા દે. નવયુગની દીર્ધદષ્ટિ આ વિષયમાં બરાબર કામ કરશે. હિંદની સ્થિતિ એવી છે અને ખાસ કરીને જૈનને વ્યવસાય એવા પ્રકારનો છે કે જે આ સંબંધમાં ધ્યાન ન આપે તે અનવસ્થા કે અવ્યવસ્થા થતાં ગામડાંઓમાં એ પહેલો ભાગ થઈ પડશે. પણ અગમ બુદ્ધિ વાપરી એ એવા પ્રકારની સ્થિતિ થઈ જાય તેટલી હદે વાતને જવા નહિ દે.
મિલક્ત” ની વૃદ્ધિમાં જે નિયમન મૂકવામાં નહિ આવે તે બહુ ભયંકર પરિણામ આવશે. અત્યારે જે જાતના વિચારે ફેલાતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com