________________
--
૨૫૮
નવયુગને જન
~~~
~~
~
~
~~~~~
~
~
અથવા સાધારણ સ્થિતિવાળા પણ સાહસિક નરે એ જ શ્રમછવીના ભોગે બીજી ટોચ પર જતા જાય છે. બન્ને વચ્ચે આંતરો એટલે વધતું જાય છે કે ઘણુ શેઠે પિતાની ગીરણીમાં કામ કરનાર મજૂરને જોતા નથી, ઓળખતા નથી, દિલાસો આપી શકતા નથી અને એનામાં પ્રેરણા ઉત્પન્ન થાય તેવી પરિસ્થિતિ નીપજાવી શકતા નથી.
આને પરિણામે અસાધારણ પરિસ્થિતિ ઉત્પન્ન થવાનો પૂરતે સંભવ છે. નવયુગને આ પ્રશ્નને નિકાલ ખાસ કરવો પડશે. જૈન કોમ વ્યાપારી કેમ હોવાથી, જૈનોના હાથમાં કેટલીક સત્તા હેવાથી, આવડત હેવાથી અને બીજા અનેક ઐતિહાસિક કારણે જૈનાને આ “મિલકત ને પ્રશ્ન સર્વથી પહેલે અસર કરશે. કમિશનને નામે લાખ રૂપિયા એજન્ટે લઈ જાય અથવા મોટી યોજનાના ચાલકે અસાધારણ મોટા નફા કરે એ વાત નભી શકે એમ નથી, આ વાત આપણું પસંદગીની નથી એ ખાસ ધ્યાનમાં રાખવું. એની સામે કર્મ–પૂર્વ જન્મના શુભ કર્મ આદિની દલીલે કરવી નકામી છે. એ પ્રશ્ન ઉઠવાને જ છે અને આખા દેશમાં ઉઠવાને છે.
નવયુગ એને મુખ્યતયા આ રીતે નિકાલ કરશે. પરિગ્રહપરિમાણ એ જૈનને આદર્શ ગુણ છે, પાંચ અણુવ્રતમાં પાંચમું વ્રત છે અને એના ધાર્મિક દૃષ્ટિએ ઈચ્છરોધ વગેરે લાભ ઉપરાંત આ ભવમાં પણ ઘણું ફાયદા છે. નવયુગને તરવરાટ રોકનાર અને શક્તિના અર્થ અને હેતુ વગરના ઉપયોગને અંકુશમાં રાખનાર ઐહિક નજરે આ નિયમન અતિ ઉપયોગી ભાગ ભજવશે. આ નિયમનને પરિણામે શ્રમજીવી અને માલેકા વચ્ચે પ્રેમભાવ વધશે,
શ્રમજીવીઓનાં રહેઠાણ મનુષ્યને રહેવા લાયક થશે, એનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com