________________
પ્રકરણ ૧૮મું
ર૭
બીજા અન્ય વડિલે સલાહ આપી શકે, પણ છેવટને નિર્ણય તે પરણનાર-જીવનભરને માટે જોડાનાર જ કરે.
નવયુગના આ નિર્ણયથી ઘણું સુધારા સ્વતઃ જ થઈ જશે, પછી દીકરીને ગાયની ઉપમા આપવાનું નહિ રહે. એને જ્યાં દેરે ત્યાં તે જાય એ આ સિદ્ધાંત ઉડી જશે, બાળલગ્નને તે પ્રશ્ન જ નહિ રહે. નિર્ણય કરવા વય, અનુભવ, અભ્યાસ અને આવડત વિના લગ્ન થઈ શકે જ નહિ. વૃદ્ધ વિવાહને પ્રશ્ન પણ નહિ રહે. કન્યાવિક્રય કે વરવિક્રયને સવાલ નહિ રહે. પછી તે પ્રેમલગ્ન થતાં પતિપત્ની વચ્ચે ગાંઠ એવી મજબૂત થશે કે વિધવાવિવાહને પ્રશ્ન પણ લગભગ નાશ પામી જશે. કેઈ અસાધારણ સંયોગમાં તાજી પરણેલ યુવતીને એવો પ્રસંગ કદાચ આવશે તે સમાજ એના તરફ દયાની નજરે જોશે. બાકી સાચું દાંપત્ય જામશે. કજોડાં દૂર થઈ જશે. ગુણ, અભ્યાસ અને વયની ગૂંચવણ નીકળી જશે. દીકરી જન્મે ત્યારથી માબાપને એક જાતની ચિંતા રહ્યા કરે છે તે વાત દૂર થઈ જશે અને જે ગૃહસ્થજીવન અત્યારે કંકાસ, કલેશ અને ઉકળાટ કરનાર થઈ પડેલ છે તેને બદલે ઘણા મેટા ટકાઓના પ્રમાણમાં સાચું આદર્શ ગૃહસ્થજીવન | ઠામ ઠામ મળી આવશે. લગ્નના પ્રશ્ન ઉપર જ્ઞાતિઓમાં ઝઘડા થાય છે તે વાત પૂર્વના ઈતિહાસની જ થઈ જશે. સવેલીને પ્રશ્ન આ ખલાસ થઈ જશે અને સમાજ શાન્તિના શ્વાસ લે તેવા સારા દિવસો સાંપડશે.
વેવિશાળ લગ્નને પ્રશ્ન સામાજિક પ્રસંગમાં હાથ ધર્યો તે તેને લગતા એક બે નાના પ્રશ્નને નવયુગ કેવો નિર્ણય કરશે તે પણ અત્રે જ વિચારી લઈએ. વેવિશાળને કેટલીક જગ્યાએ “વિવાહ” કહેવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com