________________
પ્રકરણ ૧૦નું
૨૨૯
વેવિશાળને કારણે કન્યાવિક્યને મેટે અવકાશ મળતું હતું. એમાં પાછા ગેટા પણ વળતા હતા. એનાથી સવેલીને પ્રશ્ન પણ ઘણીવાર ઊભો થો હતે. સવેલીને પ્રશ્ન આ પ્રમાણે છે –
એક કન્યાનું વેવિશાળ અમુકની સાથે થયું હોય, પછી તેને નાતને ત્યાં નેંધ થયો હય, આગળ જતાં વરને ક્ષય જેવો વ્યાધિ થતાં, અસાધ્ય રોગ થતાં એ કન્યા પતિના પિતાની પરવાનગી વગર અન્યને આપવાના કાર્યને “સલી ગઈ” એમ કહેવામાં આવતું હતું. આ સવેલી આપનાર પિતા કે વડિલોને જ્ઞાતિ નાતબહાર મૂકે, ન્યાતમાં પાર વગરના ઝઘડા થાય અને પાર વગરની ગૂંચવણ થાય.
આ ઉપરાંત કન્યાવિક્રય કરવાવાળા પિતા કે વડિલે વધારે લાલચ મળતાં દીકરીને દૂર દેશ કે બુટ્ટા સાથે પરણાવી સ્વાર્થ ખાતર મડાને મીંઢળ બંધાવે. આ સર્વથી અનેક તકરારે, ગૂંચવણો, કલેશ, ચર્ચા અને બખેડાને જન્મ મળતો હતો.
અને વેવિશાળથી કઈ પ્રકારને લાભ છે નહિ. આખી સંસ્થા બિનજરૂરી છે. એનાથી કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી, એનાથી કઈ જાતને લાભ થતું નથી. પૂર્વકાળને એક જૂને સિદ્ધાંત ચાલ્યા આવે છે કે “વરની મૂકી કન્યા જાય, પણ કન્યાને મૂકે વર ન જાય.” આ નિર્ણય સત્તાશાળી પુરાએ જ કર્યો હશે. જે સમયમાં કન્યાને વેચવાની ચીજ ગણવામાં આવતી અને જ્યારે તેને ગાયની ઉપમા અપાતી ત્યારે એના હકક માટે ચિંતા કરનાર કોણ? સ્ત્રીઓ નાતજાતના મેળાવડામાં આવતી નહેતી, એના પુરુષ જેટલા જ હક્ક છે, હવા જોઈએ-એવી કલ્પના પણ નહોતી ત્યારે આવા જ સૂત્રો અનાદિ સત્ય સિદ્ધાંત
તરીકે જન્મ પ્રસરે અને મૂળ ઘાલે એમાં નવાઈ જેવું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com