________________
પ્રકરણ ૧૮ મું સામાજિક (ચાલુ)
વિધવાને પ્રશ્ન લગ્નના વિષયની સાથે સંબંધ ધરાવનાર વિધવાને પ્રશ્ન છે. અત્યારે તે એ પ્રશ્નને જ્ઞાતિઓ સાથે સંબંધ છે, પણ નવયુગમાં જ્ઞાતિને સ્થાન નહિ રહે એ ધરણે જૈન જનતાની નજરે એ સવાલ વિચારવાનું અત્ર પ્રાપ્ત થાય છે. આ વિધવાના આખા પ્રશ્નને નવયુગ તદ્દન જુદી જ રીતે ચર્ચશે તે આપણે જોઈએ.
અત્યારની વિધવા વિધવા એટલે અપશુકન કરનાર તજાયેલી હણાયેલી સ્ત્રી. જેની સર્વ આશા ઈરછા અને સ્વ મરી ગયાં છે, જેને આ જીવનમાં કોઈ જાતને રસ ન રહ્યો હોય, જે સાસરીઆમાં હડધૂત થતી હોય અને પિયરમાં પિષાતી ન હોય, જેને બેથી પાંચ રૂપિયાને મહિને કરી આપવામાં આવા આર્થિક ગૂંચવણવાળા સમયમાં જ્ઞાતિના નેતાઓ મેટો ઉપકાર સમજતા હોય–એનું નામ અત્યારે વિધવા છે. એને હૃદયની ગૂંચવણ ઠાલવવાનું સ્થાન નથી, એને ઉપર આકાશ અને નીચે ધરતી છે, એના વેશ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com