________________
પ્રકરણ ૧૭ સુ
લાંછન ન લાગે એટલું જરૂર લક્ષ્યમાં લઈ ધર્મ, અર્થ અને કામ પરસ્પર અવિરાધીપણે સધાય એ સાપેક્ષ દૃષ્ટિએ પસંદગી કરવી.
૨૧૭
.
બાકી વય, સ્વભાવ, ગુણ, શીલ, સતીત્ત્વ, કેળવણી, સંસ્કાર, આદર્શ આદિ ભાખતા જાણીતી હાઈ એ ભલામણેાનું અહીં પુનરાવન કરવાની ભાગ્યે જ જરૂર હાય. મુદ્દાની વાત એ છે કે લગ્નની સંસ્થા નવયુગમાં તદ્દન નવીન આકાર ધારણ કરશે. માબાપની ફરજ માત્ર સલાહ અથવા તા વિવેકસરની પરવાનગી આપવા પૂરતી જ રહેશે અને લગ્ન એટલે જેતે નજરે જોયેલ પણ ન હાય તેની સાથે લાકડેમાંકડુ વળગાડી દેવાના ઉન્માદને બદલે ગુણુ સ્વભાવ અભ્યાસના સહવાસને પરિણામે થયેલ સહચાર થશે. પ્રાચીનાને એમાં ઉન્માદ લાગશે, નવયુગને પ્રાચીન પદ્ધતિમાં અનેક વાંધા જણાશે. આ સંબંધમાં પ્રાચીનેાની ધમકી કે સમજાવટ કાઈ રીતે નવયુગને કારગત થઈ નહિ પડે. નવયુગ લગ્નને પ્રશ્ન ઘણા સ્વતંત્ર રીતે વર્તીમાન કાળને અનુસરી તદ્દન જુદાં જ મૂત્રા પર નિર કરશે અને તે નિણૅય પણ વખત જતાં ફેરફારને આધીન રહેશે. લગ્નનેા પ્રશ્ન નવયુગમાં અતિ મહત્ત્વના ગણાશે અને એની વેદી ઉપર જ જ્ઞાતિએ ભાંગીને ભૂક્કા થઈ જશે. નવયુગના લગ્નપ્રસ`ગને પ્રાચીનાને વધારે મુંઝવણુ કરાવે તેવા એક મુદ્દો આગળ આવશે તે તેના યોગ્ય સ્થાને વિચારવાના રહે છે.
મહાસભા જૈન ક્રામમાં લગ્નને પ્રશ્ન વિચારશે, તેની વિચારણા માં જ્ઞાતિ અને ધર્મ વચ્ચેના તફાવત સ્પષ્ટ રહેશે. જૈનને કેટલાક ક્રામ (કાસ્ટ) ધારે છે . તે ગેરસમજુતી તે દૂર કરશે, જૈન ધમ છે અને જૈતા વચ્ચે ધર્મતત્ત્વ જ સામાન્ય છે એ વાત જનતા જાણશે ત્યારે એને નવાઈ લાગશે. મહાસભા અથવા પરિષદ સાંસારિક સંબંધ માટે દિશાસૂચન જરૂર કરશે. એની નજર ઘણી વિશાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com