________________
२००
નવયુગને જૈન
એના લડાઈ દારૂગોળાના પ્રશ્નના નિકાલ ત્યાં જ પ્રાપ્તવ્ય છે એ દષ્ટિએ અને જનતામાં મૈત્રીભાવ તથા અહિંસા ફેલાવવામાં જ તે પિતાનું અસ્તિત્વ સકારણ અને સફળ થયેલું માનશે. આ મુદ્દા પર ચીવટ રાખી ધ્યાન આપવામાં આવશે.
આવા અધિવેશનનું પ્રમુખસ્થાન અનુભવી વિદ્વાન અને સિદ્ધ દીર્ઘદૃષ્ટા જૈનને આપવામાં આવશે. એ યોગ્ય સન્નારી કે સજજન હેઈ શકે. ધનવાનને એ સ્થાન પર હક નહિ રહે, છતાં ધનવાન પણ અનુભવીની કક્ષામાં આવી શકે તેવા હોય અને તે સ્થાનને આધિપત્ય કે શેઠાઈના સ્થાન તરીકે નહિ પણ સેવાને ઉજજવળ પંથ ઉઘાડનાર તરીકે સમજનાર હશે તે ધનવાન હવા ખાતર તેનો નિષેધ કરવામાં નહિ આવે.
સ્થાનિક સંધેના તફાવતને નિર્ણય પ્રાંતિક સંગઠન કરશે, પણ અતિ ગૂંચવણવાળી કે મુદ્દાની બાબત હશે તે તેને નિકાલ કાર્યવાહક મંડળ કરશે.
આ પરિષદ મંડળનાં સ્થાને જરૂરિયાત પ્રમાણે પ્રતિપ્રાંતમાં ગોઠવવામાં આવશે. એની મુખ્ય જગા એક વર્ષ માટે કઈ મધ્યસ્થ સ્થળે અથવા કાર્યવાહક મંડળ ઠરાવે ત્યાં રાખવામાં આવશે.
કાર્યવાહક મંડળ લગભગ ૧૫ સભ્યનું બનશે, ભારતીય સમિતિ લગભગ ૩૦૦ સભ્યોની બનશે. આ સંખ્યામાં ફેરફાર જરૂરિયાત પ્રમાણે વખતોવખત થયા કરશે. આખી યોજના યંત્રવત કાર્ય કરશે અને આખું મંડળ અને એનું પ્રત્યેક અંગ પિતાનું કાર્ય બરાબર બતાવી શકશે. સમસ્ત હિંદની, પ્રાંતની અને સ્થાનિક કાર્યોની, કાર્ય કરનારાઓની અને અમલ કરવાની પદ્ધતિની એવી સુંદર યોજનાપૂર્વકની વ્યવસ્થા કરવામાં આવશે કે આખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com