________________
કર
નવયુગના જૈન
તે
માનશે, એ દરેક વસ્તુને એનુ યથાયાગ્ય સ્થાન આપશે. કાઈ વાત નહિ બેસે તે તે ચર્ચા કરશે. દાખલા તરીકે એને લાગશે કે માર્ગાનુસારીના છઠ્ઠા ગુણમાં કહ્યું છે કે ( જૈન ) કાઈ ને વણ વાદ ન ખોલે, રાદિકને ખાસ કરીને,' હતાં એને એમ લાગશે કે પેાતાનામાં તાકાત, આવડત અને અભ્યાસ હોય તે રાજાને એના યથાસ્વરૂપમાં બતાવવા જોઇ એ. તે આને એ પેાતાની કરજ સમજશે, એ પેાતાને રાષ્ટ્રધમ સમજશે અને રાષ્ટ્રધ–સમષ્ટિહિતને ધમ સાથે કદી વિરાધ હાઈ શકે નહિ. તેથી એ પ્રસંગ જોઈ આખી રાજાની સંસ્થાને તેાડી પાડવા પ્રયત્ન કરશે અને છતાં તેમ કરતાં એ જૈનધર્માંના નિયમને તોડે છે એમ તે માનશે નહિ. એ જ ગુણો પૈકી ૨૨મા અદેશ અને અકાળ ચર્ચાને તજવાની બાબત બતાવેલી હાવાથી તેના મગજનું સમાધાન થઈ જશે.
તેવી જ રીતે બહાર નીકળવાના અનેક દરવાજાવાળા ઘરને કદાચ એ તજી નહિ દે, તા પણ એ સમજશે કે અમુક સમય એવા હતા કે ઘરને વિશેષ બારીબારણાં રાખવાં એ જાનમાલને અગવડમાં મૂકવા જેવું ધારવામાં આવ્યું હેાય; અત્યારના આરોગ્યના નિયમ પ્રમાણે બારીબારણાં વધારે રાખવામાં આવે ! તેથી જૈન મટી જવાશે એવું તેને કદી લાગશે નહિ અને તેમ તે માનશે નહિ. મુસલમાની રાજ્ય વખતની અવ્યવસ્થાના નિયમે। આ કાળમાં આવી બાબતમાં લાગુ ન પડે એમ તે માનશે.
એનામાં એટલે વિવેક આવશે ને તે માનશે કે ઇંદ્રિયદમન, અતિથિપૂજન, ગુણપક્ષપાતીત્વ આદિ નિયમા સ કાળમાં લાગે તેવા છે. જ્યારે અમુક નિયમે અમુક યુગને માટે જ લાગે તેવા હાય છે. યુગે યુગે સંહિતા બદલાય છે. જૈન દૃષ્ટિએ યુગે યુગે સમાચારી બરાબર બદલી છે એમ તે ઇતિહાસથી જોઈ શકશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com