________________
૧૬.
નવયુગને જૈન
ધર્મ જ છે એમ બતાવી મનુષ્યની સર્વ ભાવના ધર્મમય થઈ જાય એ બતાવવામાં આવશે. દુનિયાની અત્યારે જે ગૂંચવણભરી હાલત થઈ પડી છે તેને નિકાલ જૈનના આદર્શો કરી આપશે. એના અહિંસાના સૂત્રથી જગતની લડાઈ જશે, એના બ્રહ્મચર્યના આદર્શથી સંતતિનિયમન થશે, એના સાદાઈના આદર્શથી અર્થશાસ્ત્રની મૂંઝવણ દૂર થશે, એના કર્મના આદર્શ સિદ્ધાન્તથી આપઘાતના પ્રસંગો દૂર થશે, એનાં પાંચ અણુવ્રતોથી ચેરી, લૂંટ, ખૂન, છેતરપીંડી, વિશ્વાસઘાત, બળાત્કાર આદિ મહાન ગુનાઓ દૂર થશે અને સમાજને સુવ્યવસ્થિત, સુઘટ અને પરસ્પર પ્રેમમય કરવાનું માન જૈનદર્શન ખાટી જશે. આ પ્રત્યેક મુદ્દાથી જગત પર શી અસર થશે તે પર અત્ર વિવેચન સ્થળસંકેચથી થઈ શકે તેમ નથી પણ ટૂંકામાં એક મહાન વ્યક્તિ નીકળશે અને તે દુનિયાને એ આદર્શો બતાવી શાંતિ, પ્રેમ અને ઉચ્ચ જીવનની ચાવીઓ બતાવશે. કંટાળેલી, ત્રાસ પામેલી, મુંઝાઈ ગયેલી દુનિયા એ આદર્શો ઝીલશે. આવું કાર્ય અત્યારે એક વ્યક્તિ કરી રહી છે તેના કાર્યને નવયુગ વધારશે, વિસ્તારશે અને એને ઉચ્ચતર કક્ષાપર મૂકશે.
પરિણામે નામધારી જૈન સંખ્યા વધે કે ન વધે તે વાત બાજુ ઉપર રાખતાં જૈન વાતાવરણ વિશ્વમાં પ્રસરશે અને એ જીવન જીવવાની ભાવના સર્વને નહિ તે દુનિયાના મોટા ભાગને થશે. છેલ્લા દશ વર્ષમાં જૈન ભાવના કેટલી વધી છે તેથી અહિંસા, ત્યાગ, સાદાઈ અને સેવાભાવ કેટલા વધ્યા છે તે બતાવી નવયુગ એ અધૂરા રહેલા કાર્યને અનેક દિશાએથી બહલાવશે
અને શ્રી વીર પરમાત્માને ઝુડે જગતભરમાં ફરકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com