________________
નવયુગને જૈન
એમને જીવનક્રમમાં સ્થિર કરવા માટે એમના શિક્ષણાદિની વ્યવસ્થા કરવા માટે, એમનામાં વ્યવહારકુશળતાનાં, શરીરમરદાનગીનાં, જાહેર મિલનસ્થાને કરવાનાં આદિ અનેક પ્રસંગોને ખ્યાલ કરી સામાજિક અને વૈયક્તિક આવશ્યકતાને અંગે જે ધનને ઉપયોગ કરવાનું યોગ્ય ધારવામાં આવ્યું તે સાધારણુદ્રવ્ય.
એને સર્વસામાન્ય ગલ્લે પણ કહી શકાય. આપત્તિ, દુકાળ, નિરાધારતા, નિરાશ્રિતદશા આદિ પ્રસંગે શ્રાવકે આ દ્રવ્યને ઉપયોગ કરી શકે, એમાંથી અભણને ભણાવી શકાય, નિરૂઘમીને ઉદ્યમે લગાડી શકાય અને એ દ્રવ્યને દુરૂપયોગ કરવો હોય તે એમાંથી જમણ ઉજાણી ઊડાવી પણ શકાય. વચગાળાના વખતમાં દેવસેવા કરવા બદલ નોકરી કરનાર જૈનને દેવદ્રવ્યમાંથી જરૂરી પગાર લેતાં સંકોચ થયેલે ત્યારે તેમને પગાર પણ આ સાધારણદ્રવ્યમાંથી આપવાની રીતિ દાખલ થઈ હોય એમ જણાય છે. જે દ્રવ્યને જમણ માટે નિર્માણ કરવામાં આવ્યું હોય તેને તે તેમાં જ વાપરવું ઘટે, પણ એવું દ્રવ્ય નિર્માણ કરી ગયેલાના દ્રવ્યને ઉપયોગ અન્ય સાધારણ કાર્યોમાં કરી નાંખેલા અનેક સ્થળે અનુભવાય છે.
આવી પરિસ્થિતિને કારણે સાધારણદ્રવ્ય ઉપર માગણીઓ ઘણી રહેતી આવી છે. નવયુગને એમ લાગશે કે સાધારણુદ્રવ્ય ઉપર કેટલાક અણઘટતા બેજા પડ્યા છે અને કેટલીક વખત જે હેતુથી એ દ્રવ્ય નિર્માણ કરવામાં આવ્યું હતું તેને બદલે ખાડે પૂરવામાં એ દ્રવ્યને ઉપયોગ થઈ ટ્રસ્ટની શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. આ વિચિત્ર લાગતી બાબત એમ જણાય છે કે સાધારણદ્રવ્ય ઉપર ઘણું દબાણ થવાને કારણે, જે રકમે દેવદ્રવ્યમાંથી વપરાવી જોઈએ તે રકમ સાધારણ ખાતે ઉધરવાને કારણે અને બની શકતી સર્વ આવકનાં સાધને દેવદ્રવ્યમાં જમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com