________________
પ્રકરણ ૧૬ મું
૧૦૧
આવશે. જીવવિચાર, નવતત્ત્વ, ગત્યાગતિ, દેવકને ખ્યાલ, કાળની ગણના, જુદા જુદા પ્રકારના ભાવ, મતિમૃત જ્ઞાનને તફાવત, વ્યંજનાવગ્રહાદિની વર્તમાન તક ( લોજીક) સાથે સરખામણી એવા અનેક ઉલ્લેખ તત્વમાર્ગમાં થશે. નીતિવિભાગમાં તે પાર વગરના વિષય પર જુદા જુદા ઉલ્લેખ થશે. ભાવનાનાં સ્વરૂપ, અષ્ટપ્રવચનમાતા, અઢાર દૂષણ રહિતતા, ગુણસ્થાનક્રમ, કષાયનું સ્વરૂપ, દર્શનમોહનીય અને ચારિત્રમેહનીય, મેહનીય કર્મની વિષમતા, જૈનત્વને દરવાજે પાંત્રીશ માર્ગાનુસારીના ગુણ, વ્રતનિયમને મહિમા, ગ્રંથભેદ, બાર વતે, પાંચ મહાવ્રત, સામાયકને મહિમા, અતિથિસંવિભાગનો આશય, સમ્યકત્વના લક્ષણે, પ્રભાવકનાં ચિહ્નો, અઢાર પાપસ્થાનક પૈકી પ્રત્યેક પર વિવેચન, આશાતના આદિ અનેક અનેક વિષય પર પ્રૌઢ ભાષામાં ઉલ્લેખ કરવામાં આવશે અને તે પૈકી જે લેખ સંમાનનીય થશે તે જાળવી રાખવામાં આવશે.
કથાસાહિત્યને મૂળ આકારમાં તેમજ સાદાં ભાષાંતરમાં પ્રકટ કરવા ઉપરાંત તેના ઉપર નવયુગર્ન સંસ્કારી સાહિત્ય ભાષામાં સાદી રીતે સમજાય તેમ પણ આકર્ષક રીતે તથા કાવ્યકવિતામાં અનેક ભાષામાં સંસ્કાર થશે. અને લોકચિ જાગે તેવી રીતે કથામાં તત્ત્વની વાતને તથા નીતિ નિયમાદિને ગૂંથી નાખવામાં આવશે.
- ક્રિયાના મૂળ આશય હેતુ બતાવનાર ગ્રંથે ખૂબ પ્રકટ થશે. ઘણી વિસરાઈ ગયેલી વાત પરત્વે શોધખોળ કરવામાં આવશે. અમુક સૂત્ર ઊભાં ઊભાં કેમ બોલવું, શરૂઆતમાં અમુક રીતે સ્થાપના કેમ કરવી, તથા મુદ્રાઓનાં કારણે શોધી પ્રકટ કરવામાં
આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com