________________
૦૯
નવયુગને જૈન -~-
અઢાર ગુણ ધર્મ, અર્થ અને કામને પરસ્પર અવિરેાધપણે સાધવાની દક્ષતાનો છે. અહીં નવયુગના જૈનની બારીક અવલોકનશક્તિને ખાસ ઉપયોગ થશે. એ પિતાના મગજમાં ધર્મ, અર્થ અને કામનાં ખાતાઓ જુદાં પાડી શકશે. એ ધંધા વખતે પણ નીતિના નિયમોને વિસરી નહિ જાય. એ વ્યાખ્યાન સાંભળીને તરત જ પંચેતેર ટકા વ્યાજ લેવાને વ્યવસાય નહિ. કરે. પ્રમાણિકપણે મહેનતથી ધનઉપાર્જન કરવાને તે જોડાશે, પણ ધન પાછળ જીવન અર્પણ નહિ કરી દે. એ આદર્શ પતિ થશે પણ વિષયને કીડે નહિ થાય. એ પરસ્ત્રી સાથે કામવિકારની નજરે સંબંધ નહિ કરે, પણ એ સ્ત્રીઓના સમાજમાંથી નાસી પણ નહિ જાય.
ધર્મ, અર્થ અને કામની સાધનામાં એ ખૂબ વિચારણા અને ચર્ચા કરશે. ગૃહસ્થજીવનમાં ધર્મ પુરુષાર્થ સાધવાની શક્યતા એ બતાવશે અને છતાં ત્યાગીના ઉત્કૃષ્ટ જીવન તરફ એનો રાગ વિધાયક રહેશે. ગૃહસ્થ વ્યાપાર કરે ત્યારે નિરવઘ ધંધો સ્વીકારી ધર્મ સમ્મુખ રહી શકે છે એ તે જરૂર બતાવી આપશે. એને સર્વ ત્યાગ તરફ બહુ આકર્ષણ રહેશે અને છતાં ગૃહસ્થધમ પણ બીજે નંબરે ઉત્કૃષ્ટ સાધન છે એ તે જોઈ જાણી બતાવી શકશે અને જીવી પણ શકશે. ગૃહસ્થ પોતાના સત્કાર્ય દ્વારા સમાજોપયોગી અનેક કાર્ય કરી શકે છે અને તદ્દદ્વારા પોતાના ઈષ્ટ માર્ગ આદરી શકે છે એની શક્યતા તે બહુ સુંદર રીતે બતાવશે. એની દક્ષતા, વિદ્વત્તા અને કુશળતા આ ગુણના અનુવ્યક્તનમાં એ બહુ આકર્ષક રીતે બતાવવા પ્રયત્ન કરશે. (૧૮)
દીન, આતિથી અને સાધુને સત્કાર. જેને કેઈ સાધન ન હેય તે સખ્ત હરિફાઈને ભોગ થઈ પડેલા દીન, શરીરની નબળાઈથી અથવા હીન અંગથી અથવા ઓછી મગજશક્તિથી હતાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com