________________
પ્રકરણ ૧૧ મું
મંદિરો અને નવયુગ નવયુગમાં મંદિરની પવિત્રતા અત્યારે જળવાય છે અને મનાય છે તેથી પણ વધારે મનાશે. મંદિરને ધર્મના લાક્ષણિક સ્થાન ગણવામાં આવશે. અત્યારે એક વર્ગ મંદિરને માન નથી તે મંદિરના બાળજીવના અવલંબનસ્થાન, સામાન્ય જ્ઞાનીના આશ્રયસ્થાન અને વિશેષ જ્ઞાનીનાં ધ્યાનસ્થાન તરીકે જોઈ શકશે. અત્યારે જે કચવાટ તેઓમાં એક વર્ગ તરફથી ફેલાવવામાં આવે છે અને મંદિરને અંગે ઝનૂન બતાવવામાં આવે છે તે દૂર થઈ જશે. જેને મંદિરે જવું હોય તે જાય, સાધન તરીકે જે એની ઉપયુક્તતા જાણે માને, સ્વીકારે તે મંદિરે જાય. ન જવું હોય તેને આગ્રહ કરે નહિ, તેની ટીકા કરવી નહિ એ નિયમ સાર્વજનિક થઈ જતાં મંદિરે જનાર અને સ્થાનકવાસી એવા વર્ગો રહેશે નહિ. સાધનને સાધન જેટલી જ અગત્ય અપાશે એટલે વૈમનસ્યનું કારણ નાશ પામી જશે અને ધર્મને નામે જે અપશબ્દપરંપરા અને વરડાના હાલહવાલ થયા છે તે બંધ થઈ જતાં એકી ભાવ વધશે. મંદિરની ભવ્યતા અને પવિત્રતા નવયુગમાં ખૂબ વધશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com