________________
નવયુગને જૈન
બાબત આવશે તે નીચે નોટમાં તફાવત ગૃહસ્થને યોગ્ય ભાષામાં બતાવવામાં આવશે. દાખલા તરીકે દેવકની વાત ચાલતી હશે, લેખક શ્વેતાંબર હશે તે ઉપર બાર લેકનું વર્ણન કરશે ત્યારે નીચે નેટમાં લખશે કે દિગંબર બંધુઓ સોળ દેવલોક માને છે. ગુણવ્રત શિક્ષાવ્રતની વાત લખશે તે કહેશે કે શ્વેતાંબર જેને ગુણવ્રત કહે છે તેને દિગંબર વિદ્વાને શિક્ષાવ્રત કહે છે અને વેતાંબરે જેને શિક્ષાત્રત કહે છે તેને દિગંબર બંધુઓ ગુણવ્રત કહે છે. વતે એકનાં એક જ છે, માત્ર છ સાત આઠના સમુચ્ચયને એક અમુક અપેક્ષાએ ગુણવ્રત કહે છે, બીજા તે જ વ્રતને શિક્ષાત્રત કહે છે. એ જ પ્રમાણે નવ દશ અગિયાર અને બારમા વ્રત માટે સમજવું. આ પદ્ધતિએ કામ લેવામાં આવશે. પૂર્વકાળનું સર્વ સાહિત્ય જળવાશે અને પરસ્પરને પ્રેમ વધતો જશે.
કેટલાક નિંદાગ્રંથે પરસ્પર ફિરકાને અંગે લખાયેલા છે અને ગઓને અંગે તથા નાની મોટી માન્યતાને અંગે લખાયા છે તેમાં શિષ્ટ શૈલી પણ જળવાણી નથી. એવા ગ્રંથે કોઈ છપાવશે કે પ્રસારશે નહિ એટલે સ્વયં તેને નાશ થઈ જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com