________________
J
૧૨૮
નવયુગને જૈન
કહીએ તે નવયુગ મંદિરને ભક્તિ ઉપાસનાનાં કેંદ્ર બનાવશે, ત્યાં ધામધુમ ઓછી થશે, બાહ્ય દેખાવ અલ્પ થશે અને દુકાનદારી બંધ થશે. મંદિરની પેઢીને “કારખાનું' કહેવામાં આવે છે તે શબ્દ ધ્વનિ અને અર્થમાં નવયુગને આઘાત કરશે અને તેના મૂળ ઉદ્દેશને અનુસરી એ કારખાનાને “પ્રભુસ્થાન” બનાવશે. મૂળ આશય શો છે તે શોધી કાઢી આખી મંદિરની ભાવનામાં જબરદસ્ત ઉત્ક્રાંતિ કરશે અને તેમ કરવામાં તે જૈનદર્શનના રહસ્યને આગળ કરશે. સ્વચ્છતા, સાદાઈ, સભ્યતા અને વિવેક વધશે અને આખું વાતાવરણ વીતરાગ ભાવને પિષક દેખાશે. ઉક્ત સર્વ ફેરફાર જૈન આદર્શની મૂળ આમ્નાય અનુસાર છે એમ નવયુગ માનશે અને પ્રચારકાર્ય દ્વારા, ચર્ચા દ્વારા, ભાષણ દ્વારા એને અનુસરતે લોકમત એ ઘડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com