________________
૯૬
નવયુગને જૈન
પાર નથી અને એની સ્થિતિ નિરસન અને ગૂઢારાપણને અંત–તાગ આવે તેમ નથી. મતલબ એ છે કે એ વિષય ધણા વિશાળ છે, અભ્યાસથી વધારે વધારે સ્પષ્ટ થતા જાય તેવા છે અને નવયુગને તેના પર અંક કરવાના પ્રસંગેા જ્ઞાન-પ્રકાશને કારણે વધારે લભ્ય છે. નવયુગ તેને જરૂર લાભ લેશે એમ અત્યાર સુધીના પ્રયત્નાથી પણ દેખાય છે. (૩૪)
ઇંદ્રિયાને વશ કરનાર આ છેલ્લા પાંત્રીસમેા ગુણ છે.
વિષય એક એક
પાંચ ઇન્દ્રિયના વિષયેા ખાદ્ય છે. પ્રત્યેક ઇંદ્રિયના છે, પણ એની તરતમતા અને એમાં ગાઢતા આંતરવૃત્તિ પર આધાર રાખે છે. ખાદ્ય દૃષ્ટિએ સમાન ક્રિયા કરનારની અંતરદશા સમજ્યા વગર તેને માટે નિર્ણય આપી શકાય તેમ નથી. જીવનની સાદાઈ ને કારણે, જરૂરિયાતોની અલ્પતા થવાને કારણે, મેજશોખ તરફ અલ્પ રૂચિ થવાના ચાલુ ઉપદેશ રહેવાને કારણે નવયુગ ઇંદ્રિયાને અંગે ઓછા વધતા અંકુશ રાખનાર થવાના સંભવ વધારે છે. અત્યારે આછા વધતા ત્યાગ ખાદ્ય નજરે જોતાં આ સંબંધમાં સુંદર પરિણામ આવવું બર્ટ, તેની સાથે જવાઆવવાનાં સાધનેાના વધારાને કારણે, ઊંડી અભ્યાસવૃત્તિ સાર્વત્રિક થતાં સમય લાગવાને કારણે અને વિલાસને પ્રેરક સાધના સુલભ થવાને કારણે આ સંબંધમાં એક સરખું ધારણ નહિ રહે. કેટલાક ભારે ઈંદ્રિયદમન કરનારા નવયુગમાં નીકળી આવશે અને કેટલાક ઈંદ્રિયને મોકળી મૂકી દેનારા પણ નીકળશે. પણ ઇંદ્રિયદમનને વિષય સમજાવતાં મુશ્કેલી નહિ પડે અને પતિત થયેલાને ઠેકાણે લાવવાનું બની શકે એવું પણ રહેશે. (૩૫)
―
આ પ્રમાણે સંયમના વિષયને હાથ ધરતાં માર્ગાનુસારીના પાંત્રીશ ગુણા સંબંધી વિસ્તારથી વાત કરી નાંખી. આ પ્રત્યેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com