________________
પ્રકરણ ૭ મું
અહિંસા જૈનધર્મનાં મૂળ અંગે ત્રણઃ અહિંસા, સંયમ અને તપ. એ ત્રણેને અંગે નવયુગનું વલણ કેવું રહેશે તે ખાસ વિચારવા જેવું છે. આખી જૈન નીતિ વિષયને પાયે આ ત્રણ મુદ્દા પર છે. પછી એમાંથી શ્રાદ્ધધર્મ, યતિધર્મ આગળ ચાલે, યેગના માર્ગે જેવાય, અષ્ટાંગયોગ વગેરે આવે અને વ્રત પચ્ચખાણ સર્વને સમાવેશ થાય. ટૂંકમાં કહીએ તે જૈન આચારશાસ્ત્ર (Ethics) ને કુલ મુદ્દો આ ત્રણ શબ્દ પર નિર્ભર રહે છે. આ ત્રણ મુદ્દા વિચારવાથી ઘણી અગત્યની બાબતનાં વહેણ વિચારાઈ જશે.
અહિંસા નવયુગની આખી સમાજરચના અહિંસાનાં ઘેરણ ઉપર રચાશે. અહિંસા વ્યક્તિગત ધર્મ હોવા ઉપરાંત રાષ્ટ્રધર્મ થશે. મનુષ્ય સંહારનાં સાધને જેમ બને તેમ ઘટાડતા જવાં, વિ– જ્ઞાનનો ઉપયોગ વધ માટે ન કરતાં સંરક્ષણ માટે કરવો અને પરસ્પર વિરુદ્ધ જતાં સ્વાર્થોનાં સંઘદને થાય ત્યારે પતાવટથી લાદીથી નિકાલ લાવવાનું ઘેરણ સ્વીકારાશે. મનુષ્યદયા પૂરતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com